ગોંડલ વિશ્વવિખ્યાત ગોંડલના અક્ષર મંદિરે પ્રતિવર્ષ શરદ પૂર્ણિમા મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવતો હતો પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી આ વર્ષે સરકારની ગાઈડલાઈન્સ મુજબ સાદગીસભર પૂજા-અર્ચન સાથે ઉજવાયો હતો અક્ષર દેરી ના સાનિધ્ય માં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના 236 પ્રાગટ્ય દિનની ઉજવણીમાં પૂજ્ય મહંત સ્વામી નેનપુર ખાતેથી ઓનલાઇન જોડાયા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો