સમગ્ર વિશ્વ માં તેમજ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર માં કોરોના મહામારી નો ફેલાવો દિન પ્રતિદિન વધતો જાય છે.

0
365

આ સંજોગો માં લોકો સરકારશ્રી ની- સૂચનાઓ નો કડક અમલ કરે તે ખૂબ જરૂરી છે ધંધા ના સ્થળો, દુકાનો વિગેરે જગ્યાઓ એ માસ્ક પહેરવામાં આવે, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ,વારંવાર હાથ સેનિતાઈઝ કરવામાં આવે અને સ્વચ્છતા જળવાઈ તે ખૂબ અગત્ય નું છે.આ સમય માં સ્વયંભૂ શિસ્ત જાળવવું એ આપણી સૌની જવાબદારી છે.
જૂનાગઢ શહેર માં સંક્રમણ રોકવા મહાનગરપાલિકા દ્વારા શહેર ના વેપારી ઓ માટે નીચે મુજબની સૂચના જાહેર કરે છે.

  1. તમામ દુકાનદારે પોતાની દુકાન માં સ્વચ્છતા રાખવાની રહશે તેમજ પોતાએ વખતો વખત હાથ સેનેટાઇઝ કરવાના/ ધોવાના રહેશે અને આવનાર ગ્રાહક ને હેન્ડ સેનેટાઇઝ કરે તે ઇચ્છનીય છે.

2.તમામ દુકાનદારે માસ્ક પહેરવું ફરજીયાત છે તેમજ ગ્રાહક ને પણ માસ્ક પહેરવા કે પોતાના મોઢા આડે કપડું રાખવા આગ્રહ કરવાનો છે.

3.તમામ દુકાનદારે પોતાની દુકાન માં સોશ્યલ ડિસ્ટન્સ રહે એટલેકે દરેક ગ્રાહક વચ્ચે ઓછામાં ઓછું એક મીટર નું અંતર રહે તે પ્રમાણે જ ગ્રાહકો ને દુકાન માં પ્રવેશ આપવાનો રહેશે. વધુ ગ્રાહકો ને દુકાન બહાર સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉભા રાખવાની વ્યવસ્થા દુકાનદારે કરવાની રહેશે.

આ મુજબ ની સૂચના નો ભંગ કરવા બદલ પ્રથમ ભૂલ વખતે દુકાનદાર નું શોપ લાઇસન્સ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવશે.
આ સમય દરમિયાન જો તે દુકાન ખોલશે તો તેનું લાયસન્સ એક માસ માટે સસ્પેન્ડ કરવા માં આવશે.
જે દુકાનદાર બીજી વખત સૂચના નો ભંગ કરશે તો 15 દિવસ માટે તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે અને ત્રીજી વખત ભંગ કરશે તો એક માસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.. જો ત્યાર બાદ પણ વેપારી દ્વારા સૂચના નું પાલન કરવામાં નહીં આવે તો લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે..
જૂનાગઢ ચેમ્બર ઓફ કોમેર્સ અને તમામ વેપારી એસોસીએસન ના પ્રમુખશ્રી અને પ્રતિનિધીશ્રી ઓ ને વિનંતી છે કે પોતાના વેપારી મિત્રો સુધી મહાનગરપાલિકા ની સૂચના પહોંચાડવા અને શહેર માં વધતા જતાં કોરોના સંક્રમણ ને અટકાવવા મહાનગરપાલિકા ને સહયોગ આપવા વિનંતી..
આ ઝુંબેશ મહાનગરપાલિકા દ્વારા સોમવાર તારીખ 13.7.2020 થી શરૂ કરવામાં આવનાર છે.