વિશ્વની અગ્રણી રેટિંગ એજન્સી ફિચે શુક્રવારે પ્રસિધ્ધ કરેલા તેના રિપોર્ટમાં ભારતનાં મધ્યમગાળાનાં સમયમાં વૃધ્ધીની અપેક્ષા વ્યક્ત કરી છે, ફિચનાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા સુધારાનાં પગલાને કારણે આ પરિણાણ મળ્યું છે જો કે તેણે હજુ પણ વધુ સુધારા પર ભાર મુક્યો છે, અને ઉત્પાદક્તાને પ્રોત્સાહક પગલાની જરૂરીયાત વ્યક્ત કરી છે.
ફિચે વધુમાં કહ્યું કે તેનું આકલન કરવામાં સમય લાગશે કે શું આ સુધારાને અસરકારક રીતે અમલ કરવામાં આવ્યો છે કે નહીં, જો કે મધ્યમગાળામાં કોરોના વાયરસ રોગચાળાનાં પ્રકોપનાં પગલે સરકારનાં સુધાર એજન્ડાનાં કારણે મધ્યમગાળામાં વૃધ્ધીને પ્રોત્સાહન મળી શકે છે.
જો કે સરકારનાં આ પ્રયત્નો છતા પણ વૃધ્ધીનાં ઘટાડાની શક્યતા રહેલી છે, અને આ આંકલન કરવામાં સમય લાગશે, રોગચાળાનાં કારણે મધ્યમ અવધીમાં વૃધ્ધી ધીમી પડી શકે છે.કેમ કે વહીખાતામાં પડેલું નુકસાન વર્ષો સુધી રોકાણને પ્રભાવિત કરી શકે છે.