જેતલસર તરુણી હત્યાકેસ મામલે સી.આર.પાટીલ પરિવારને મળ્યા, કહ્યું- ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સરકારે મંજૂરી આપી છે

0
554

જેતપુર તાલુકાના જેતલસર ગામે સગીરા સૃષ્ટિ રૈયાણીની એકતરફી પ્રેમી જયેશે છરીના 35 ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવના ઘેરા પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા છે. આ અંગે આજે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ જેતલસર પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના આપી હતી. ભોગ બનનાર સગીરાને પુષ્પાજંલિ અર્પણ કરી તેમણે તેના પરિવારને આરોપીને કડકમાં કડક સજા અપાવવાની બાંયધરી આપતાં જણાવ્યું હતું કે ગામમાંથી ભયનું વાતાવરણ દૂર કરાશે. ઉલ્લેખનીય છે કે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિત શહેર પક્ષપ્રમુખ અને જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આરોપીને કડક સજા થશે એ નક્કી – પાટીલ
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે હજુ તો શિક્ષણ મેળવવાની ઉંમરે આવી રીતે દીકરીની હત્યા થઈ જાય એ દુઃખદ છે. આવા બનાવોને કડક હાથે ડામી દેવા વર્તમાન ગુજરાત સરકાર કટિબદ્ધ છે. CMની સૂચનાથી રાજ્ય મંત્રી જયેશ રાદડિયા સતત મૃતક તરુણીના પરિવાર સાથે સંપર્કમાં છે. જેતલસરમાં એક પટેલ દીકરીની હત્યાથી આખા ગામમાં ભયનું વાતાવરણ ફેલાય ગયાનો અહેસાસ થાય છે, પરંતુ ગ્રામજનોએ ચિંતા કરવાની જરૂર નથી. ગામમાંથી ભયનું વાતાવરણ દૂર કરવા રાજકોટ જિલ્લા પોલીસવડા અને જેતપુર તાલુકા પોલીસના PSI સહિતની પોલીસને જરૂરી સૂચનાઓ, આદેશો કરી દેવાયાં છે.

સરકારે સ્પેશિયલ પીપીની નિમણૂકની મંજૂરી પણ આપી દીઘી છે.

સરકારે સ્પેશિયલ પીપીની નિમણૂકની મંજૂરી પણ આપી દીઘી છે.

સરકારે કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા મંજૂરી આપી
સમગ્ર સૃષ્ટિ હત્યા કેસની સરકાર પાસે વિગતો, માહિતી છે. સરકાર સૃષ્ટિના પરિવારની પડખે છે. આ પરિવારે નિર્ભીકપણે જ્યાં પણ જરૂર પડે ત્યાં પોલીસને સહકાર આપવાનો છે. સૃષ્ટ્રિની હત્યામાં સંડોવાયેલા જયેશ ગિરધન સરવૈયા નામના ખાંટ ક્રિમિનલ માઇન્ડના આરોપીને કડક સજા થાય એ માટે સંબંધિત પોલીસે સજ્જડ સાંયોગિક પુરાવાઓ એકત્ર કરી લીધા છે. સરકારની મંજૂરી મળતાં હવે સૃષ્ટિ હત્યા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાશે. સરકારે સ્પેશિયલ પીપીની નિમણૂકની મંજૂરી પણ આપી દીઘી છે.

આરોપીને કડક સજા થશે એ નક્કી - પાટીલ.

આરોપીને કડક સજા થશે એ નક્કી – પાટીલ.

કોંગ્રેસના હાર્દિક પટેલ સહિતના ધારાસભ્યો આજે સગીરાના પરિવારની મુલાકાત કરશે
જેતલસરમાં બનેલી હત્યાને પગલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં મહિલાઓની રેલીમાં આક્રોશ જોવા મળ્યો હતો. રાજકોટથી લઈને ગાંધીનગર સુધી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેને પગલે કોંગ્રેસના હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યો આજે બપોરે 4 વાગ્યે સગીરાના પરિવારની મુલાકાત કરશે. ગઈકાલે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પણ જેતલસર પહોંચ્યા હતા અને આરોપીને કડકમાં કડક સજા અપાવવાની બાંયધરી સગીરાના પરિવારને આપી હતી. હાલ સોશિયલ મીડિયામાં લોકોમાં ઘેરા પ્રત્યાઘાત બાદ રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે.

ફાઈલ તસવીર.

ફાઈલ તસવીર.

ઘરમાંથી ઢસડીને બહાર લાવી તરુણીની હત્યા કરી
હત્યાનો ભોગ બનેલી સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી (ઉં.વ.16) જેતપુર ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, આથી આરોપી વારંવાર તેની પાછળ જઈને તેને હેરાનપરેશાન કરતો હતો. તરુણીએ તેને વારંવાર સમજાવ્યો, પરંતુ જયેશ ટસનો મસ થયો ન હતો. મંગળવારે બપોરના યુવતીના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી અને શીતલબેન કિશોરભાઈ મજૂરી માટે ગયાં હતાં, ત્યારે જયેશે સૃષ્ટિને ઘરમાંથી બહાર ઢસડીને કાઢી હતી અને તું મારી સાથે લગ્ન કર એવી જબરદસ્તી કરી હતી, આથી યુવતીએ વારંવાર ના પાડતાં તેને ઢોર માર માર્યો હતો. આટલેથી ન અટકી જયેશે સાથે રાખેલી છરી કાઢીને યુવતીને 35 ઘા માર્યા હતા, આથી તરુણી લોહીના ખાબોચિયામાં ઢળી પડી હતી.

દીકરીની તસવીર હાથમાં રાખી માતા રડી પડ્યાં.

દીકરીની તસવીર હાથમાં રાખી માતા રડી પડ્યાં.

ભાઈ બચાવવા વચ્ચે પડતાં આરોપીએ તેને પણ છરીના 5 ઘા ઝીંક્યા
આ જોઇ યુવતીનો ભાઈ હર્ષ બહેનને બચાવવા આડો પડ્યો હતો. ત્યારે આરોપીએ મોઢું જોયા વગર પાંચ છરીના ઘા તેને પણ ઝીંકી દીધા હતા. ઘટનાની જાણ થતાં યુવતીના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી પોતાની વાડીએથી ઘરે આવ્યા હતા અને પોલીસને જાણ કરી ત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્થળ પર દોડી આવી મૃતકની ડેડબોડીને જેતપુર સિવિલ બાદ એફએસએલ પીએમ. માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.