રાજકોટમાં કોરોનાથી 10ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2093 થઈ, 925 સારવાર હેઠળ

0
324

સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસની સાથે મૃત્યુઆંક પણ વધ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. આ સાથે જ મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં આજે કોરોનાથી વધુ 10 લોકોના મોત થયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 2093 કેસ પોઝિટિવ નોંધાયા છે. મહત્વનું છે કે સોમવારે રાજકોટ શહેરમાં નવા 70 કેસ નોંધાયા હતા. હાલ રાજકોટમાં કુલ 925 દર્દીઓ સારવાર હેઠળ છે.

ક્રમનામઉં.વ.સ્થળ
1બાનુબેન ઈશાભાઈ ભાડુલા60રાજકોટ
2રશ્મિકાંત બારભાયા65રાજકોટ
3છેલાભાઈ વજુભાઈ પરમાર61રાજકોટ
4અશોકભાઈ નાનજીભાઈ સારીયા31રાજકોટ
5રાહિમાબેન ગનીભાઈ પરમાર65પડધરી
6દિલીપભાઈ ચંદ્રકાંતભાઈ દવે60સુરેન્દ્રનગર
7શૈલેષભાઈ જાદવભાઈ38ટંકારા
8હમીદાબેન કાસમભાઈ હાડા60ગોંડલ
9વિજયાબેન જેન્તીભાઈ કામરિયા ​​​​​​​49પડધરી
10કાથડભાઈ ધાંધલ60થાનગઢ

રાજકોટમાં 925 દર્દી સારવાર હેઠળ
રાજકોટ શહેર અને ગ્રામ્યના કુલ કેસ 2093 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં જે નવા કેસ આવી રહ્યા છે ફક્ત તે વિસ્તારોના નામ જ જાહેર કરવામાં આવતા હતા જો કે બે દિવસથી તે પણ બંધ કરી દેવાયું છે. સોમવારે શહેરી વિસ્તારમાંથી 70 કેસ આવ્યા પણ ક્યા વિસ્તારમાંથી આવ્યા તે જાહેર કરાયું નથી. બીજી તરફ રાજકોટમાં હાલ 925 દર્દી સારવાર હેઠળ છે જેમાંથી મોટાભાગના લોકો હોમ આઈસોલેશનમાં છે, જ્યારે બાકીના કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલમાં છે. અન્ય જિલ્લાના દર્દીઓ સહિત 498 હોસ્પિટલાઈઝ છે જેમાંથી 45ની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર મુકાયા છે. રાજકોટ જિલ્લાના 1037 ફેરિયાનું સ્ક્રિનિંગ કરાયું હતું જેમાંથી 76 શંકાસ્પદ જણાતાં તેમના રેપિડ ટેસ્ટ કરાતા એક પોઝિટિવ કેસ આવ્યો હતો.