રાજકોટમાં કોરોનાથી 9ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2374 થઈ

0
279

સિવિલમાં 8 અને ખાનગી હોસ્પિટલમાં 1નું સારવાર દરમિયાન મોત

રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 9 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જ્યારે શહેરમાં કુલ 1570 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે. તેની સાથે મૃત્યઆંક પણ વધ્યો છે. આજે આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાતે છે. ત્યારે જયંતિ રવિની મુલાકાત પહેલા જ રાજકોટમાં કોરોનાથી 9 લોકોના મોત થયા છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં એક તબીબ સહિત 90 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે 67 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં 516 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવનો આંક 2374 પર પહોંચ્યો છે.

ક્રમનામઉં.વ.સ્થળ
1હાજીભાઈ ઈસ્માઈલભાઈ પરમાર70રાજકોટ
2માલુબેન રઘુભાઈ56રાજકોટ
3જયાબેન નાનજીભાઈ પરમાર55રાજકોટ
4રામભાઈ રાઘવજીભાઈ કાપડીયા81રાજકોટ
5મનિષભાઈ ગુલાલભાઈ સવાણી40રાજકોટ
6હિતેષભાઈ પ્રભાશંકરભાઈ ઉપાધ્યાય70જેતલસર
7સતારભાઈ ઈસ્માઈલભાઈ બેલીમ70જેતલસર
8ગોમતીબેન પરષોતમભાઈ જાદવ50ધ્રાંગધ્રા
9દુધીબેન દેવશીભાઈ ગજેરા75જામકંડોરણા

શહેરમાં 20 સંજીવની રથ ચલાવવા સુધીનું આયોજન કર્યું
મહાનગરપાલિકાએ શહેરમાં એસિમ્ટોમેટિક કોરોના પોઝિટિવ દર્દીને ઘરે રહી સારવાર લેવી હોય તો તે માટે સંજીવની રથ શરૂ કર્યો છે. હોમ આઇસોલેશન માટે મનપા પાસે હાલ એક સંજીવની રથ છે અને 67 દર્દી તેનો લાભ લઇ રહ્યા છે. સંજીવની રથમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, બી.પી., પલ્સ ઓક્સિમીટર સહિતની સાધન સામગ્રી, દવા હોય છે. હવે દર્દીની સંખ્યા વધતા મનપા શુક્રવારથી બીજો સંજીવની રથ શરૂ કરવા જઇ રહ્યું છે. ત્યાર બાદ જેમ જેમ જરૂર પડશે તેમ સંજીવની રથની સંખ્યામાં વધારો કરવામાં આવશે. મનપાએ શહેરમાં 20 સંજીવની રથ ચલાવવા સુધીનું આયોજન કરી લીધું છે અને તેના માટે જરૂરી સ્ટાફની ભરતી પણ કરી રહ્યું છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.