કેદીઓને આઈસોલેટ કરવાની કામગીરી શરૂ
રાજકોટ. રાજકોટ મધ્યસ્થ જેલમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. મધ્યસ્થ જેલમાં આજે એક સાથે 23 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. પોઝિટિવ આવેલા કેદીઓને આઈસોલેટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ રાજકોટ મધ્યસ્થ જેલને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4 હજારને પાર
રાજકોટમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે શનિવારે રાજકોટમાં કુલ 95 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 5 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. એક એનાલિસિસ પ્રમાણે રાજકોટમાં છેલ્લા 7 દિવસમાં 100 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે.