બનાસકાંઠા જિલ્લો બન્યો કોરોના મુકત : એક પણ એકટીવ કેસ નહી

0
265

આણંદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લામાં પણ ૫૦થી ઓછા એકટીવ કેસ

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ બનાસકાંઠા કોરોનામુકત જિલ્લો બની ગયો છે. યારે ગુજરાતના બીજા ઘણાં એવા જિલ્લા છે જે કોરોનામુકત બની શકે છે. આ જિલ્લાઓમાં હાલ ૫૦થી ઓછા એકિટવ કેસો છે.


ગુજરાતના બનાસકાંઠા જિલ્લા હાલ કોરોનામુકત બની ગયો છે. કોરોના મુકત બનતાં આરોગ્ય વિભાગ સહિત જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. હાલ બનાસકાંઠામાં એક એકિટવ કેસ નથી. બનાસકાંઠામાં અત્યાર સુધી ૪૦૮૪૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે યારે જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં ૧૬ લોકોનાં મોત નિપયાં છે.


ગુજરાતના આણંદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લો પણ કોરોનામુકત બની શકે છે. આ જિલ્લાઓમાં ૫૦થી ઓછા એકિટવ કેસ છે તો આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુકત થઈ શકે છે. આણંદમાં હાલ કોરોનાના ૪૯ એકિટવ કેસ છે યારે અત્યાર સુધીમાં કોરોનાથી ૧૬ લોકોના મોત નિપયાં છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં હાલ ૧૮ એકિટવ કેસ છે. યારે જિલ્લામાં કોરોનાથી એક પણ મૃત્યુ નિપયું નથી. આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુકત બની શકે છે.


છોટાઉદેપુરમાં હાલ કોરોનાના ૪૩ એકિટવ કેસ છે. યારે કોરોનાથી જિલ્લામાં ૨ લોકોનાં મોત નિપયાં છે. આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોનામુકત થઈ શકે છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં હાલ ૪૦ એકિટવ કેસ છે યારે ૩૯ લોકોના કોરોનાથી મોત નિપયાં છે.


પોરબંદર જિલ્લો પણ ગમે ત્યારે કોરોના મુકત થઈ શકે છે. કારણે જિલ્લામાં હાલ માત્ર ૧૦ જ એકિટવ કેસ છે યારે અત્યાર સુધીમાં ૪ લોકોના કોરોનાથી મોત નિપયાં છે. આ ઉપરાંત તાપી જિલ્લામાં માત્ર ૨૦ જ એકિટવ કેસ છે યારે અત્યાર સુધીમાં ૪ લોકોના કોરોનાથી મોત નિપયાં છે. આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોના મુકત થઈ શકે છે.