અર્થવ્યવસ્થાના મોરચામાં ઘેરાયેલી મોદી સરકાર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આકરા પ્રહાર ચાલુ છે. ગુરુવારે રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાના મુદ્દા પર પોતાનો વીડિયો શ્રેણીનો બીજો ભાગ જાહેર કર્યો. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ નોટબંધીના મુદ્દા પર મોદી સરકારને ઘેરી અને તેને ગરીબો વિરુદ્ધનો નિર્ણય બતાવ્યો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી ભારતના ગરીબ-ખેડૂત-મજદૂર પર આક્રમણ હતું. 8 નવેમ્બરની રાતે 8 વાગ્યે પીએમ મોદીએ 500-1000 નોટ બંધ કરી દીધી, ત્યાર બાદ દેશ આખો બેંકની સામે જઇ ઉભો રહી ગયો. રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું તેનાથી કાળુ નાણું ઘટ્યું? શું લોકોને તેનાથી ફાયદો થયો? બંનેનો જવાબ ના છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે નોટબંધીથી માત્રને માત્ર ધનવાનોને ફાયદો થયો, તમારા રૂપિયા ઘરમાંથી નીકાળીને તેનો પ્રયોગ પૈસાદારોનું લોન માફ કરવામાં આવી.
- સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
- SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
- કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ
રાહુલ ગાંધીએ કહ્યું કે બીજો હેતુ હતો તે જમીન પચાવી પાડવાનો હતો. દેશનું અસંગઠિત ક્ષેત્ર રોકડ પર કામ કરે છે, નોટબંધીથી કેસલેસ ઇંડિયા ઇચ્છતા હતા, જો આવું થશે તો આ ક્ષેત્ર જ પુરુ થઇ જશે. એટલા માટે આ કારણે ખેડૂત, મજદૂર, નાના વેપારીઓને તેનાથી નુકસાન થયું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે નાના વેપારીઓ રોકડ વગર ન જીવી શકે. આપણે નોટબંધીના આ આક્રમણને ઓળખવું પડશે અને દેશની જનતાએ તેના સામે લડવું પડશે.
રાહુલ ગાંધીએ આ પહેલા 31 ઓગસ્ટના રોજ આ શ્રેણીનો પહેલો ભાગ જાહેર કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર જાણીજોઇને અસંગઠિત ક્ષેત્રની અર્થવ્યવસ્થાને બરબાદ કરવામાં લાગી છે.