ચીનના રાષ્ટ્ર્રપતિ દેશની સેના પીપલ્સ લિબરેશન આર્મીના કમાન્ડરથી ઘણા જ નારાજ છે
લદાખમાં પેંગોગ વિસ્તારમાં ૨૯–૩૦ ઓગસ્ટની રાત્રે ભારતીય સૈન્યની કાર્યવાહીના કારણે ચીનની સેનાને પીછેહઠ કરવી પડી હતી. રાષ્ટ્ર્ર પ્રમુખ શિ જિનપિંગ આ વાતથી ઘણા અકળાઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતની આ કાર્યવાહીથી જિનપિંગ ભડકી ગયા છે. યારે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી નેતૃત્વ પણ પીપલ્સ લિબરેશન આર્મીના કમાન્ડરથી નારાજ છે, જેણે પેંગોગના દક્ષિણ વિસ્તારમાં ચીની સૈન્યના અભિયાનનું નેતૃત્વ કયુ હતું.
અગાઉ ૧૫ જૂને ચીનના રાષ્ટ્ર્ર પ્રમુખ શિ જિનપિંગના ૬૭મા જન્મ દિવસે પણ ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તેમાં ચીનની સેનાને ઘણું મોટુ નુકસાન થયું હતું પરંતુ ચીને તેના કેટલા સૈનિકો માર્યા ગયા છે તેનો આંકડો જાહેર કર્યેા નથી. ચીનને આમાં કેટલું નુકસાન થયું છે તે પણ તેણે સ્વીકાયુ નથી. જન્મ દિવસ નિમિત્તે ચીનની સેનાને થયેલા નુકસાનની અસર જિનપિંગના ચહેરા પર સ્પષ્ટ્ર જોવા મળ્યો હતો.
ચીને લદાખના પેંગોગ વિસ્તારમાં ભારતીય સેના સાથે થયેલી અથડામણનું મીડિયા કવરેજ શ થયાના ૨૪ કલાકની અંદર જ પાંચ નિવેદન જારી કર્યા હતા. જેમાં બે નિવેદન ચીનના વિદેશ મંત્રાલય, એક નિવેદન ચીનની સેના, એક નિવેદન ચીનના વિદેશ મંત્રી અને એક નિવેદન ભારત સ્થિત ચીનના દૂતાવાસનું હતું. લગભગ તમામ નિવેદનોમાં ચીને ભારતીય સૈન્યએ ઉશ્કેરણી કરી હતી તેવું કહ્યું હતું.
વિશ્વભરમાં ફરી ફરીને ભારત સાથે શાંતિનો રાગ આલાપી રહેલું ચીન લદાખ બોર્ડર પર તિબેટ વિસ્તારમાં યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. ચીનની સરકારી ટીવી ચેનલ સીજીટીએનના જણાવ્યા પ્રમાણે પશ્ચિમોત્તર ચીનમાં ચાલી રહેલી આ લાઈવ ફાયર ડિ્રલમાં એક હજાર સૈનિકો ભાગ લઈ રહ્યા છે. આ સૈનિકો ૧૦૦ ગાડીઓ સાથે પહોંચ્યા છે. તેમણે ચીનની રેલવે લાઈન દ્રારા લદાખ સરહદ સુધી પહોંચાયા છે. આ લાઈવ ડ્રીલમાં ચીન તોપો, ટેન્કો અને મિસાઈલોનો ઉપયોગ કરી રહ્યું છે.
ચીન ભારત સાથે વાતચીત કરવા માટે આતુર છે તેનો ખ્યાલ શાંઘાઈ સહયોગ સંગઠનના રક્ષા મંત્રીઓની બેઠક દરમિયાન જ આવી ગયો હતો. આ બેઠક બાદ ચીનના રક્ષા મંત્રી વેઈ ફેંગહીએ વિનંતી કરીને પોતાના ભારતીય સમકક્ષ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. હવે આ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠક યોજાવાની છે, જેમાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ.જયશંકર ભાગ લેશે. એવી શકયતા છે કે આ બેઠક બાદ તેઓ પણ ભારતીય વિદેશ મંત્રી જયશંકર સાથે વાતચીત કરશે. બંને નેતા આ દ્રિપક્ષીય વાતચીત દરમિયાન લદાખમાં જારી તણાવને લઈને કોઈ મોટા નિર્ણય લઈ શકે છે.