પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થતા દુનિયાભરમાં રહેતા તેમના અનુયાયીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બીએપીએસની પ્રણાલિ અનુસાર બાપાના બ્રહ્મલીન થયાની થોડી જ પળોમાં તેમના અનુગામી તરીકે મહંત સ્વામીના નામ ની જાહેરાત કરવામાં આવી હતી. 13 સપ્ટેબરના રોજ બીએપીએસના નવા વડા મહંતસ્વામીનો જન્મદિવસ છે પરંતુ મહંત સ્વામીનો જન્મદિવસ તીથી પ્રમાણે સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો. મંહત સ્વામી બન્યા બાદ તેમનો આ પ્રથમ જન્મ દિવસ છે. તીથી પ્રમાણે મંહત સ્વામીનો બર્થ-ડે 11 સપ્ટેમ્બરે સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો.
પરિવારજનો તેને હુલામણા નામ વિનુથી બોલાવતા
મહંતસ્વામીએ 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી. મૂળ આણંદના વતની અને વેપાર વ્યવસાય માટે જબલપુરમાં સ્થાયી થયેલા મણિભાઈ નારાયણભાઈ પટેલ તથા ડાહીબહેનને ત્યાં 13 સપ્ટેમ્બર, 1933એ મહંતસ્વામીનો જન્મ થયો હતો. તેમના જન્મના થોડા જ દિવસો બાદ બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જબલપુર ગયા હતા અને તેમણે બાળ મહંતસ્વામીને આશીર્વાદ આપી કેશવ નામ આપ્યું હતું. જોકે પરિવારજનો તેને હુલામણા નામ વિનુથી બોલાવતા હતા. જબલપુરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ પરિવાર સાથે આણંદ સ્થાયી થયા અને આણંદની એગ્રીકલ્ચર કૉલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
દીક્ષા બાદ તેઓ વિનુ ભગત તરીકે ઓળખાવા લાગ્યા
આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા મહંતસ્વામી વર્ષ 1951-52માં યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા હતા. યોગીજી મહારાજથી પ્રભાવિત થતાં તેઓ ઉનાળુ વૅકેશનમાં તેમની સાથે પ્રવાસ કરવા લાગ્યા હતા. વર્ષ 1957માં વસંતપંચમીએ યોગીજી મહારાજે તેમને પાર્ષદી દીક્ષા આપી વિનુભગત નામ ધારણ કરાવ્યું અને પોતાની સાથે વિચરણ તથા પત્રલેખનની સેવામાં જોડ્યા હતા. દીક્ષા બાદ તેઓ વિનુ ભગત તરીકે ઓળખાવા લાગ્યા. વર્ષ 1961માં તેમને ગોધરામાં દીક્ષા અપાઈ હતી અને સ્વામી કેશવજીવનદાસ બન્યા હતા. તેમણે મુંબઈમાં નવી દીક્ષા લેનારા 51 ઉચ્ચ શિક્ષિકોને સંસ્કૃતનું શિક્ષણ આપ્યું હતું અને દાદર મંદિરના વડા (મહંત) તરીકેની જવાબદારી સોંપાઈ હતી.
વર્ષ 1971માં યોગીજી મહારાજ બ્રહ્મલીન થયા
વર્ષ 1971માં યોગીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ મહંતસ્વામી પ્રમુખસ્વામીને સમર્પિત થઈ સંપ્રદાયની સેવા શરૂ કરી હતી. તપ, વ્રત, સંયમ, ભક્તિ, સાધુતા, વિનમ્રતા, સરળતાને બુદ્ધિમતા જેવા સદ્દગુણો અને સેવામય જીવનથી તેઓ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની સતત પ્રસન્નતા પામતા રહ્યાં. વર્ષ 2012માં 20મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે સંસ્થાના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજે તેઓને પોતાના ભાવિ ઉત્તરાધિકારી તરીકે સ્થાપીને તેમને ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરૂપરંપરાના છઠ્ઠા ગુરૂદેવ તરીકે આદરણીય સ્થાન આપ્યું.
પત્ર દ્વારા પ્રમુખસ્વામીએ મહંતસ્વામીને જવાબદારી સોપી હતી
પત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે મહંત સ્વામીને પત્રવ્યવહાર અને સંતસંગીઓના પ્રશ્નોના સમાધાનની જવાબદારી આપી હતી. પ્રમુખસ્વામી મહારાજે સર્વે ત્યાગી અને સત્સંગીઓને આ અંગેની જાહેરાત કરી હતી. તેમની નાદુરસ્ત તબિયતને કારણે લોકોને રૂબરૂ મળી શકાતું નહીં હોવાનો તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. જેને પગલે હવે તમામ પ્રશ્નોનું માર્ગદર્શન મહંત સ્વામી પાસેથી મેળવવા પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું હતું.
મહંતસ્વામી તરીકે કેવી રીતે ઓળખાયાં
વર્ષ 1961માં તીર્થધામ ગઢડા ખાતે યોગીજી મહારાજે એકસાથે 51 સુશિક્ષિત નવયુવાનોને ભાગવતી દીક્ષા આપી ત્યારે વિનુભગતને કેશવજીવનદાસ સ્વામી નામ ધારણ કરાવ્યું હતું. નવદીક્ષીત 51 યુવાનોને યોગીજી મહારાજે મુંબઈ ખાતે સંસ્કૃતના અધ્યયન માટે મુક્યા ત્યારે એ સૌના મહંત તરીકે કેશવજીવનદાસ સ્વામીને મુક્યા હતા ત્યારથી તેઓ મહંતસ્વામી નામે સૌના માટે આદરણીય બન્યાં.
વિનુ પટેલ મહંત સ્વામી કેવી રીતે બન્યા?
પ્રમુખ સ્વામીએ સમયસર તેમના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામીને નીમી દીધેલા. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુ પટેલ હતું. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવણદાસ રખાયું હતું. સ્વામીનારાયણની સંસ્થા જે ટૂંકમા BAPS (બેપ્સ) તરીકે ઓળખાય છે તેના જગતભરમાં 713 મંદિરો છે. મહંત સ્વામી આજે પ્રમુખ સ્વામી પછી છઠ્ઠા સ્પિરિચ્યુઅલ નેતા છે. ગુરુ પરંપરા રીતે ચાલી આવે છે: (1) ગુણાતીતાનંદ સ્વામી (2) ભગતજી મહારાજ (3) શાસ્ત્રીજી મહારાજ (4) યોગીજી મહારાજ (5) પ્રમુખ સ્વામી મહારાજ (6) અને હવે મહંત સ્વામી
નવાઈની વાત છે કે પ્રમુખ સ્વામીએ સાળંગપુરમાં બચપણ વિતાવેલું ત્યારે નવા મહંત સ્વામી મધ્ય પ્રદેશના ગામ જબલપુરમાં ઉછરેલા. 1961ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપેલી. પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં સેવા કરતા રહ્યા. તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012માં પ્રમુખ સ્વામીએ તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા. મહંત સ્વામીના સંસારી પિતાનું નામ મણીભાઈ નારણભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબહેન પટેલ હતું. બન્ને પતિ-પત્ની શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્યો હતા. નવાઈની વાત છે કે શાસ્ત્રીજી મહારાજે મહંત સ્વામીના જન્મ પછી તુરંત તેમના મા-બાપના ઘરે મુલાકાત લઈ પ્રથમ તેમનું ફેમીલી નામ કેશવ રાખેલું. સંસારી વિનુભાઈ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના જન્મ સ્થળે જબલપુરમાં પૂરું ર્ક્યુ. પછી જબલપુરમાં મેટ્રીક પાસ થઈ તેઓ ત્યાંની ક્રિશ્ચિયન સ્કૂલમાં દાખલ થયા. કૃષિ કોલેજ હતી અને આણંદમાં હતી. તમને નવાઈ લાગશે કે મહંત સ્વામી ખેતીવાડીની કોલેજના ગ્રેજ્યુએટ છે! વિનુભાઈ પટેલ કોલેજમાં હતા ત્યારે 1951-1952માં યોગીજી મહારાજને મળ્યા. તેનાથી પ્રભાવિત થઈને ઉનાળાના વેકેશનોમાં યોગીજી મહારાજ પાસે જતા. અને ત્યારે તેમને સાધુ જીવન ગાળવાની પ્રેરણા મળી. 24ની ઉંમરે વિનુભાઈ પટેલ ઉર્ફે મહંત સ્વામીને (પાર્શ્વદ) દીક્ષા મળી. શરૂમાં તેમનું નામ વિનુ ભગત રખાયું હતુ. યોગીજી મહારાજ જ્યારે પ્રવાસ કરતા ત્યારે વિનુ ભગત સાથે સાથે સેવામાં હાજર રહેતા. તેમનો પત્રવ્યવહાર સંભાળતા. 28ની ઉંમરે પછી તેમને ‘સ્વામી’ તરીકેની દીક્ષાં ગઢડામાં મળી. અને ત્યારે તેમને સાધુ તરીકે કેશવજીવનદાસનું નામ મળ્યું. તે દિવસે 51 સેવકોને પણ દીક્ષા મળેલી. બધાને મુંબઈના સંસ્કૃતનો અભ્યાસ કરવા રખાયા અને તેમના 51ના ગ્રુપ લીડર દાદરમાં મહંત સ્વામી ઉર્ફે કેશવજીવનદાસ હતા. 1951માં મહંત સ્વામી, પ્રમુખ સ્વામીને મળ્યા. અને તેમની સાથે દેશ પરદેશમાં ધાર્મિક પ્રવાસ ર્ક્યો. મહંત સ્વામીની સેવાભાવનાથી પ્રભાવિત થઈ પ્રમુખ સ્વામીએ બીજા સીનીયર સાધુઓની અમદાવાદની હાજરીમાં 20-7-2012માં તેમનું નામ સાધુ તરીકેનું નામ મહંત સ્વામી રાખી દીક્ષા આપી. અને ત્યારે પ્રમુખ સ્વામીએ ચાર વર્ષ પહેલા સમયસર મહંત સ્વામીને પોતાના ઉત્તરાધિકારી નીમ્યા હતા.
સૌ પ્રથમ મહંત સ્વામીએ આજના યુવાનોને પ્રેરણાત્મક સંદેશો આપ્યો. મહંત સ્વામીએ યુવાનોને ચીમકી આપી કે તમને વેકેશન પડે એટલે થીમ પાર્કમાં કે બીજા આનંદ પ્રમોદમાં સમય વેડફવો નહીં. તે પછી જ્યારે અટલાન્ટા (અમેરિકા)માં 8000 જેટલી સંખ્યામાં સ્વામીનારાયણ પંથના યુવાનો ભેગા થયા તે અમેરિકામાં હિન્દુઓનું મોટામાં મોટું ગેધરીંગ હતું. 3200 જેટલી હાઈસ્કૂલ અને કોલેજોના યુવાનો આવ્યા હતા. યુવાનોને મહંત સ્વામીએ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને ધર્મનો સંદેશ આપ્યો. મેળાવડામાં સ્વામીનારાયણ પંથના યુવક-યુવતીઓએ ગીત-નાચ દ્વારા ધર્મનો સંદેશ આપ્યો. અહીં મહંત સ્વામીએ તેમનું પ્રથમ ભાષણ ર્ક્યુ અને જંગી હાજરીમાં સ્વામીનારાયણ ભગવાનની આરતી ઉતારી તે સ્થળે ડોક્ટર સ્વામી તરીકે ઓળખાતા સ્વામીએ મહંત સ્વામીને પંથના ગુરુ જાહેર ર્ક્યા. મહંત સ્વામીએ દીક્ષા અને આરતી પછીની સ્પીચમાં સંસ્થાના તમામ સાધુઓમાં એકતા, એકમત અને પ્રેમભાવ રાખવાનો સંદેશ આપ્યો.
ઘણાને નવાઈ લાગશે કે હાલના બેપ્સના (BAPS) ગુરુ મહંત સ્વામી ગુજરાતી જાણે છે! અને બચપણ મધ્ય પ્રદેશમાં (જબલપુર) વીત્યું છતાં તેમને ધર્મના સંસ્કાર ક્યાથી મળ્યા? મહંત સ્વામીના સંસારી પિતા મણિભાઈ ધંધાર્થે જબલપુર ગયેલા એટલે વિનુભાઈ પટેલનું બચપણ-ટીનેજરની વય મધ્ય પ્રદેશમાં ગાળેલું, તેમને કોઈ સાધુ માનીને ‘ચાર ચોપડી’ ભણેલા માનશો. મહંત સ્વામી ઇગ્લીંશ મિડીયમમાં ભણેલા. 12મા ધોરણના તે અતિ-અસાધારણ બ્રીલીયન્ટ વિદ્યાર્થી હતા. બારમા ધોરણ પછી માતા-પિતા સાથે જબલપુરથી આણંદ આવ્યા. આણંદની કૃષિ કોલેજમાં અભ્યાસ ચાલુ રાખી કૃષિ ગ્રેજ્યુએટ બન્યા. જગતના શહેરમાં સ્વામીનારાયણ પંથીઓ એક વાતને વળગી રહે છે તે વાતના ચાર સ્તંભ છે. નોલેજ, ડિવોશન, ડીટેચમેન્ટ અને રાઈચસનેસ. અર્થાત સ્વામીનારાયણ કે કોઈ પણ હિન્દુ કે મુસ્લિમ માનવીએ તેના જીવનમાં સતત જ્ઞાન વધારવું. સમર્પણ ભાવ રાખવો, મોહથી મુક્ત રહેવું અને દરેક વ્યક્તિ સાથે ન્યાયપૂર્વ રીતે વર્તન કરવું. રાઈચસનેસ એટલે ધર્મભાવના, ન્યાય નિષ્ઠતા, નીતિ પરાયણતા અને સાદો અર્થ છે- ઈમાનદારી. ઈમાનદારીને હું પણ ખૂબ નિષ્ઠાપૂર્વક પાળું છું.