News Updates
AMRELI

Amreli :જગતના તાતની મહેનત બળીને ખાખ,દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ

Spread the love

અમરેલીના દેવળકી ગામે 5 વિઘાના ઘઉંના ખેતરમાં આગ લગાવાની ઘટના બની છે. ખેતરમાં વીજળીના પોલમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનો ખેડૂતનો દાવો છે. જેમાં ખેડૂતોની મહેનત બળીને ખાખ થઈ ગઈ છે.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમરેલીમાં પણ ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. અમરેલીના દેવળકી ગામે 5 વિઘાના ઘઉંના ખેતરમાં આગ લગાવાની ઘટના બની છે. ખેતરમાં વીજળીના પોલમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનો ખેડૂતનો દાવો છે. જેમાં ખેડૂતોની મહેનત બળીને ખાખ થઈ ગઈ છે. ખેતરમાં આગ લાગતા તમામ પાક સળગી જતાં ખેડૂતને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

બીજી તરફ રાજકોટના જેતપુરમાં ઘઉં નદીમાં ઢોળાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના કેરાળી ગામમાં ખેડૂત ખેતરમાંથી ઘઉં ટ્રેકટરમાં ભરીને લઈ આવતા હતા. ત્યારે અચાનક પુલ બેસી જતા ટ્રેકટર અને ઘઉં બધુ નદીમાં પડ્યુ હતુ. જો કે સદનસીબે જાનહાનિ થઈ નથી. પરંતુ ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


Spread the love

Related posts

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ના કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું.

Team News Updates

પીપાવાવ પોર્ટ હાઇવે પર સિંહ પરિવારની લટાર:મધરાતે રસ્તા પર આવી જતાં થોડીવાર માટે વાહનોનાં પૈડાં થંભી ગયાં.

Team News Updates

અમરેલીના સાવરકુંડલામાં મન મુકીને વરસ્યા મેઘરાજા, છલાકાયા નદી-નાળા, ઓશો સાગર ડેમ ઓવરફ્લો

Team News Updates