News Updates
AHMEDABAD

Weather:આગાહી હવામાન વિભાગની:અરબ સાગર બાદ બંગાળની ખાડી પણ સક્રિય,આગામી ત્રણ દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

Spread the love

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ વીજળીના ચમકારા પણ અનુભવાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા ઉત્તર-સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટા છવાયા વાદળો છવાશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં જે ડિપ્રેશન સર્જાયું હતું તે નબળું પડતા હાલમાં વેલમાર્ક લો પ્રેશર બન્યું છે તથા તે ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે અને તેને કારણે ગુજરાત ઉપર કોઈપણ પ્રકારે અને કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી. ફક્ત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તદુપરાંત રાજ્યના અન્ય ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉલ્લેખનીય છે કે, વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગના રહેવાસીઓને બફરાનો પણ અનુભવ થશે. પરંતુ આગામી ચાર દિવસ બાદ રાજ્યભરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે.

મહત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ બંધ થવાથી ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સસિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય લઘુત્તમ તાપમાન કરતા 3.7 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.


Spread the love

Related posts

10 લાખ ભક્તોએ નિશુલ્ક ભોજન-પ્રસાદ લીધો વિશ્વ ઉમિયાધામના ભોજનાલયમાં

Team News Updates

 દીકરીનું જીવન હોમાયું દહેજના ખપ્પરમાં :દીકરીએ રડતા રડતા પિતાને સમગ્ર વેદના કહી હતી,પ્રેમ લગ્ન કરનાર યુવતીએ સાસરીયાના ત્રાસથી ગળેફાંસો ખાધો

Team News Updates

તસવીરો 147મી રથયાત્રાની: શણગારેલા ટ્રક-ગજરાજે શોભા વધારી, ભાવિકો હિલોળે ચડ્યા, પ્રસાદી માટે ભક્તોની પડાપડી, આદિવાસી નૃત્ય, કરતબોની જમાવટ

Team News Updates