News Updates
INTERNATIONAL

કેનેડામાં ખાલિસ્તાનીઓએ તિરંગો ફાડી ભારતનું અપમાન કર્યું:વાનકુવરમાં દૂતાવાસની બહાર પ્રદર્શન;PM મોદીનું પણ અપમાન, કેનેડાએ ભારતમાં તેના નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું

Spread the love

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ ગઈ કાલે ભારત વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ભારતના તિરંગાનું પણ અપમાન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે એલાન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ હાંકલ કરી હતી.

કેનેડામાં એક જ દિવસે બે અલગ-અલગ સ્થળોએ દેખાવો યોજાયા હતા. પ્રથમ પ્રદર્શન વાનકુવર, કેનેડામાં હતું. જ્યાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો ભારતીય તિરંગાનું અપમાન કરતા અને તેને ફાડતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન તિરંગાનું મોટું બેનર બનાવવામાં આવ્યું હતું. જેને ખાલિસ્તાની સમર્થકો જમીન પર પાથર્યું હતું અને તેના પર ચાલતા પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવીને તેમનું અપમાન પણ કરવામાં આવ્યું હતું.

કેનેડા તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી
કેનેડાએ ભારતમાં રહેતા તેના નાગરિકો માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. આમાં તેમને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. કેનેડિયન નાગરિકોને સતર્ક રહેવા અને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે સોશિયલ મીડિયા પર કેનેડા સામે વિરોધ અને નકારાત્મક લાગણીઓ ઉશ્કેરવામાં આવી રહી છે.

ઓટાવામાં આમંત્રણ પર 30 લોકો પહોંચ્યા હતા
પન્નુ વતી લોકોને ભારતીય દૂતાવાસની બહાર દેખાવો માટેનું એલાન આપવામાં આવ્યું હતું. SFJનો અંદાજ હતો કે સેંકડો લોકો આ પ્રદર્શનમાં પહોંચશે, પરંતુ એવું થયું નહીં. માત્ર 30 જેટલા લોકો પ્રદર્શન માટે આવ્યા હતા. તેમજ એવી માહિતી છે કે તેમાંથી મોટાભાગના દૈનિક વેતન મામલે પ્રદર્શન માટે એકઠા થયા હતા.

દૂતાવાસની બહાર ભીડ ઘટી રહી છે
ભારતના કડક વલણ બાદ ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની સમર્થકોની ભીડ દિવસે ને દિવસે ઘટી રહી છે. તેની પાછળ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. ભારત સરકારે હાલમાં વિરોધ કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોની ભીડમાં ચહેરાઓને ઓળખવાનું કામ શરૂ કર્યું છે.

આ પછી ભારત સરકાર આ તમામ દેખાવકારોના OCI કાર્ડ રદ કરવા જઈ રહી છે. OCI એટલે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા, જે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને બેવડી નાગરિકતા પ્રદાન કરે છે. હવે વિદેશમાં સ્થાયી થયેલા ખાલિસ્તાની સમર્થકો ભારત પરત નહીં આવી શકે તેવા ડરથી ખુલ્લેઆમ આગળ આવવાનું ટાળી રહ્યા છે.


Spread the love

Related posts

ડ્રાઈવરે કહ્યું- બધા યહૂદીઓને મારી નાખીશ, પાકિસ્તાની ડ્રાઈવરનો યહૂદીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ અમેરિકામાં,સ્કૂલની બહાર વિદ્યાર્થીઓનો પાછળ કાર દોડાવી

Team News Updates

અમેરિકાનાં રેસ્ટોરન્ટમાં મોદીજી થાળી લોન્ચ:તિરંગા ઈડલી, ઢોકળા અને કાશ્મીરની વાનગીનો સમાવેશ; PM 21 જૂને 4 દિવસના પ્રવાસ પર US જશે

Team News Updates

મ્યાંમારમાં મોકા વાવાઝોડાના કારણે 6નાં મોત:ઘરની છત અને મોબાઈલ ટાવર ઊડી ગયાં, 20 ફૂટ ઊંચે ઊછળી નદીઓ

Team News Updates