News Updates
JUNAGADH

કેરી રસિકો આનંદો ! માવઠા બાદ પણ કેસર કેરીની પુષ્કળ આવક, કેરીના ભાવમાં પણ ઘટાડો

Spread the love

કેસર કેરીના રસિયાઓને હતું કે આ વર્ષે કેસર કેરીના ભાવ આસમાને પહોંચશે અને તેને કારણે કેસર કેરી ખાવા નહીં મળે. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે તાલાલા યાર્ડ કેસર કેરીઓના બોક્સથી છલકાઈ રહ્યું છે.

આ ઉનાળાની સિઝનમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો તેને કારણે ગીર સોમનાથના (Gir Somnath) તાલાળાની પ્રખ્યાત કેરીના પાક પર ખતરો તોળાયો હતો. કેસર કેરીના (Kesar Mango) પાકને માવઠાને કારણ નુકસાન પણ થયું હતું. કેસર કેરીના રસિયાઓને હતું કે આ વર્ષે કેસર કેરીના ભાવ આસમાને પહોંચશે અને તેને કારણે કેસર કેરી ખાવા નહીં મળે. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે તાલાલા યાર્ડ કેસર કેરીઓના બોક્સથી છલકાઈ રહ્યું છે. ખેડૂતોને હતું કે કેસર કેરીને મોટાપ્રમાણમાં નુકસાન થશે. પરંતુ માવઠા બાદ પણ કેરીનું ઉત્પાદન એટલું બધું થયું કે ખેડૂતો પણ ખુશ છે.

માત્ર તાલાળા મેંગો માર્કેટની વાત કરીએ તો અત્યાર સુધી યાર્ડમાં ત્રણ લાખ બોક્ષની આવક થઈ છે. સાથે જ છેલ્લા બે દિવસમાં રેકોર્ડ બ્રેક 25 હજાર કેરીના બોક્સની આવક થઈ છે. જો કિંમતની વાત કરીએ તો 10 કિલોના બોક્સના 300 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય સીઝનમાં પણ આટલી બમ્પર આવક ભાગ્યે જ જોવા મળે છે, જે છેલ્લા બે દિવસથી જોવાઈ રહી છે. આટલું જ નહીં પણ આ સિઝનમાં 800 ટન કેસર કેરી વિશ્વના અનેક દેશોમાં નિકાસ પણ કરવામાં આવી છે.


Spread the love

Related posts

જિલ્લા તથા પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ 2023 નું આયોજન કરવામાં આવ્યું

Team News Updates

કેરી રસિયાઓ માટે માઠા સમાચાર:ફેબ્રુઆરી મહિનો આવ્યો છતાં ગીરના આંબા પર મોર ન આવતા ખેડૂતોમાં ચિંતા, કૃષિ વૈજ્ઞાનિકે વાતાવરણને ગણાવ્યું વિલન

Team News Updates

BJP અગ્રણીએ 10 દિવસ સુધી પોલીસને ફેરવી:વંથલી કોર્ટના 15 લાખ ભરવા પોતે લૂંટાયાનો પ્લાન ઘડ્યો; મિલના 9.30 લાખ ચાંઉ કરી પોલીસને કહ્યું-મને 3 લોકોએ લૂંટી લીધો

Team News Updates