News Updates
GUJARAT

10 ધોરણ પાસ મેળવી શકે છે ખાતર-બિયારણની દુકાનનું લાઈસન્સ, જાણો કેવી રીતે કરવી અરજી

Spread the love

પહેલા કોઈ વ્યક્તિ ખાતર અને બિયારણની દુકાન સરળતાથી શરૂ કરી શકતા હતા. પરંતુ હવે નિયમોનુસાર તેના માટે 10 ધોરણ પાસે હોવું ફરજિયાત છે. આ સાથે જ ઈનપુટ ડીલર્સ માટે કૃષિ વિસ્તરણ સેવાઓમાં ડિપ્લોમા પણ હોવો જોઈએ. તેના આધારે તે વ્યક્તિ કોઈપણ રાજ્યમાં બિયારણ, ખાતર અને દવાઓના વેચાણ માટેનું લાઇસન્સ મેળવી શકે છે.

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માત્ર ખેતી કે પશુપાલન જ નહીં, પરંતુ બિઝનેસ પણ કરી શકે છે. ગામડાઓમાં લોકો કૃષિ સંબંધિત બિઝનેસ કરી આવક મેળવી શકે છે. આ માટે ભારત સરકાર દ્વારા આવા ખેડૂતો અથવા ખેતી સાથે સંકળાયેલા લોકોને એગ્રીકલ્ચર સાથે જોડાયેલા બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહન પણ આપવામા આવે છે. જો તમે ખેડૂત છો અથવા ગ્રામીણ વિસ્તારોમાં રહો છો અને ખેતી સાથે સંબંધિત વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો, તો તમે ખાતર બિયારણની દુકાન ખોલી શકો છો.

ખાતર અને બિયારણની દુકાન માટે લાયસન્સ જરૂરી

ગામડાઓમાં ખાતર અને બિયારણની હંમેશા માગ રહે છે. ખાતર અને બિયારણની દુકાન શરૂ કરવા માટે ખાતર અને બિયારણની દુકાન માટે લાયસન્સ મેળવવું પડે છે. જેમના નામે લાઇસન્સ લેવાનું હોય તેમને 10 ધોરણ પાર હોવું જરૂરી છે. ખાતર અને બિયારણની દુકાન માટેનું લાઇસન્સ સરકાર દ્વારા ઓનલાઈન આપવામાં આવી રહ્યુ છે. ચાલો કે લાયસન્સ માટે શું પ્રોસેસ કરવી પડે છે.

ખાતર-બિયારણની દુકાન ખોલવા માટે જરૂરી લાયકાત

પહેલા કોઈ વ્યક્તિ ખાતર અને બિયારણની દુકાન સરળતાથી શરૂ કરી શકતા હતા. પરંતુ હવે નિયમોનુસાર તેના માટે 10 ધોરણ પાસે હોવું ફરજિયાત છે. આ સાથે જ ઈનપુટ ડીલર્સ માટે કૃષિ વિસ્તરણ સેવાઓમાં ડિપ્લોમા પણ હોવો જોઈએ. તેના આધારે તે વ્યક્તિ કોઈપણ રાજ્યમાં બિયારણ, ખાતર અને દવાઓના વેચાણ માટેનું લાઇસન્સ મેળવી શકે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ એ B.Sc. એગ્રી કરેલું છે, તો તે પણ લાયસન્સ માટે અરજી કરી શકે છે.

લાયસન્સ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની વિગતો

  • આધાર કાર્ડ
  • મતદાર ઓળખ કાર્ડ
  • એડ્રેસ પ્રૂફ
  • પાન કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • એગ્રિકલ્ચરમાં ડિપ્લોમા સર્ટીફિકેટ
  • દુકાન અથવા પેઢીનો નકશો

Spread the love

Related posts

ભાણવડના શિવ બળદ આશ્રમના બળદોને 1600 કિલો કેળા પીરસાયા,ખંભાળિયાના રઘુવંશી અગ્રણી દ્વારા આવતીકાલે જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરશે

Team News Updates

મહાશિવરાત્રિ ઉજવવાના 4 કારણ:શિવપુરાણ અનુસાર આ દિવસે મહાદેવ લિંગના રૂપમાં પ્રગટ થયા, માનવામાં આવે છે કે શિવ-પાર્વતીના લગ્ન થયા

Team News Updates

કરોડોની સંપત્તિ, બે પત્નીઓ, નેપાળમાં હોટલ અને 200 ચોરીઓ… આ ચોરની સ્ટોરી તમને ચોંકાવી દેશે !

Team News Updates