News Updates
GUJARAT

DWARKA :મહિલાઓએ ઘરે- ઘરે જઇ લગાવ્યા પોસ્ટર, ખંભાળીયામાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

Spread the love

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે. રાજપૂત સમાજના પુરુષો બાદ હવે મહિલાઓ પણ મેદાને ઉતરી છે. ખંભાળીયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં મહિલાઓએ ઘરે- ઘરે જઇ પોસ્ટર લગાવ્યા છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે. રાજપૂત સમાજના પુરુષો બાદ હવે મહિલાઓ પણ મેદાને ઉતરી છે. ખંભાળીયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં મહિલાઓએ ઘરે- ઘરે જઇ પોસ્ટર લગાવ્યા છે. પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.

બીજી તરફ અમદાવાદમાં રાજપૂત વિધાભવન ખાતે રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજે કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં ક્ષત્રિય આગેવાન અશ્વિનસિંહ સરવૈયાએ કહ્યું કે ગોંડલ ખાતે યોજાયેલી બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનોને ન બોલાવતા નારાજગી છે. જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો આંદોલનનો વ્યાપ વધશે સમસ્ત ભારતમાં રાજપૂત સમાજ વસે છે અને સોશિયલ મીડિયા થકી અમારું આંદોલન ગુજરાત બહાર પહોંચી ગયું છે.


Spread the love

Related posts

ભવ્ય ઉજવણી હનુમાન જયંતીની સાળંગપુરમાં:બપોરે 1 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ દાદાનાં દર્શને પધારશે,250 કિલોની કેક કાપી દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરાયો

Team News Updates

Matsya purana:દક્ષ કન્યાઓનો જન્મ કેવી રીતે થયો,મત્સ્ય પુરાણ અનુસાર, જેમાંથી એક ભગવાન શિવની પત્ની બની?

Team News Updates

પૂર્વજોનું વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરવાનું ચુકાઇ જાય તો ? અહિં જણાવેલા ઉપાય અજમાવો

Team News Updates