News Updates
GUJARAT

ઘરમાંથી જ અપહરણ મધરાતે:ઉમરેઠ પંથકની 16 વર્ષીય કિશોરીનું,પોલીસે કિશોરીની શોધખોળ હાથ ધરી

Spread the love

ઉમરેઠ પંથકમાં રહેતી 16 વર્ષીય કિશોરીનું રાત્રીના સમયે ઘરમાંથી જ અપહરણ થયું હોવા અંગેની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે ખંભોળજ પોલીસે અજાણ્યાં ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉમરેઠ પંથકમાં રહેતી 16 વર્ષીય કિશોરી ગત તારીખ 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે જમી-પરવારીને ઘરના એક ઓરડામાં પોતાના પોતાના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે સુઈ ગઈ હતી. જે બાદ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં આ કિશોરીની માતા પાણી પીવા માટે જાગ્યાં હતાં. તે વખતે આ કિશોરી જે પથારીમાં ન હતી. જેથી ઘરના બધાં સભ્યો જાગી ગયાં હતાં અને આ કિશોરીની શોધખોળ હાથ ધરી હતી.

ઘણી શોધખોળ કરવાં છતાં આજદિન સુધી આ કિશોરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી કિશોરીનું અપહરણ થયેલ હોવાનું પરિવારજનોને લાગ્યું હતું. જેથી કિશોરીની માતાએ આ અંગે ખંભોળજ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે અજાણ્યાં વ્યક્તિ વિરૂદ્ધ બી.એન.એસ કલમ 137(2) મુજબનો ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

પંચમહાલ જિલ્લામાં નારી વંદન સપ્તાહના પ્રથમ દિવસે એમ.એમ.ગાંધી કોલેજ,કાલોલ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

Team News Updates

ધોરણ 10 નું ગીર સોમનાથ જિલ્લાનું 62.01% પરિણામ એ વન ગ્રેડ ના 67 a2 ગ્રેડમાં 809 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

Team News Updates

રાહુલ ગાંધી ન્યાય યાત્રા આજે ગુજરાત પહોંચશે, 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટર યાત્રા ફરશે

Team News Updates