News Updates
GUJARAT

ઘરમાંથી જ અપહરણ મધરાતે:ઉમરેઠ પંથકની 16 વર્ષીય કિશોરીનું,પોલીસે કિશોરીની શોધખોળ હાથ ધરી

Spread the love

ઉમરેઠ પંથકમાં રહેતી 16 વર્ષીય કિશોરીનું રાત્રીના સમયે ઘરમાંથી જ અપહરણ થયું હોવા અંગેની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે ખંભોળજ પોલીસે અજાણ્યાં ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉમરેઠ પંથકમાં રહેતી 16 વર્ષીય કિશોરી ગત તારીખ 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે જમી-પરવારીને ઘરના એક ઓરડામાં પોતાના પોતાના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે સુઈ ગઈ હતી. જે બાદ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં આ કિશોરીની માતા પાણી પીવા માટે જાગ્યાં હતાં. તે વખતે આ કિશોરી જે પથારીમાં ન હતી. જેથી ઘરના બધાં સભ્યો જાગી ગયાં હતાં અને આ કિશોરીની શોધખોળ હાથ ધરી હતી.

ઘણી શોધખોળ કરવાં છતાં આજદિન સુધી આ કિશોરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી કિશોરીનું અપહરણ થયેલ હોવાનું પરિવારજનોને લાગ્યું હતું. જેથી કિશોરીની માતાએ આ અંગે ખંભોળજ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે અજાણ્યાં વ્યક્તિ વિરૂદ્ધ બી.એન.એસ કલમ 137(2) મુજબનો ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

ગાડીના કચ્ચરઘાણ વળી ગયા!:કડીમાં ફોર્ચ્યુનર ગાડી આગળ જઈ રહેલા ટ્રેલરને અડી જતા પલટી ખાઈ ગઈ; અકસ્માતમાં ઘટનાસ્થળે કાર સાવર એકનું મોત

Team News Updates

ભોળાનાથ કેમ કહેવાયા અઘોરી?જાણો શિવનાં અનેક સ્વરૂપો પાછળનું રહસ્ય,સુખના દાતા ‘શંકર’, અકાળ મૃત્યુથી બચાવે છે 

Team News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતને કરોડોના વિકાસ કામોની ભેટ આપી,કહ્યુ-‘લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 અને NDA 400 બેઠકને પાર થશે’

Team News Updates