News Updates
GUJARAT

ઘરમાંથી જ અપહરણ મધરાતે:ઉમરેઠ પંથકની 16 વર્ષીય કિશોરીનું,પોલીસે કિશોરીની શોધખોળ હાથ ધરી

Spread the love

ઉમરેઠ પંથકમાં રહેતી 16 વર્ષીય કિશોરીનું રાત્રીના સમયે ઘરમાંથી જ અપહરણ થયું હોવા અંગેની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે ખંભોળજ પોલીસે અજાણ્યાં ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉમરેઠ પંથકમાં રહેતી 16 વર્ષીય કિશોરી ગત તારીખ 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે જમી-પરવારીને ઘરના એક ઓરડામાં પોતાના પોતાના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે સુઈ ગઈ હતી. જે બાદ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં આ કિશોરીની માતા પાણી પીવા માટે જાગ્યાં હતાં. તે વખતે આ કિશોરી જે પથારીમાં ન હતી. જેથી ઘરના બધાં સભ્યો જાગી ગયાં હતાં અને આ કિશોરીની શોધખોળ હાથ ધરી હતી.

ઘણી શોધખોળ કરવાં છતાં આજદિન સુધી આ કિશોરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી કિશોરીનું અપહરણ થયેલ હોવાનું પરિવારજનોને લાગ્યું હતું. જેથી કિશોરીની માતાએ આ અંગે ખંભોળજ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે અજાણ્યાં વ્યક્તિ વિરૂદ્ધ બી.એન.એસ કલમ 137(2) મુજબનો ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન માં લોહાણા સમાજ ની દીકરી એ નોંધાવેલ સાસરિયા વિરુદ્ધ ફરીયાદ

Team News Updates

DAHOD:ગાંજાની ખેતી ઝડપાઈ ડ્રોનની મદદથી; દેવગઢ બારીયાના ગુણા ગામે,3 આરોપીઓની ધરપકડ

Team News Updates

Jamnagar:અનાજ-કરિયાણાની દુકાનમાં આગ લાગતા,જામનગરના પટેલ કોલોનીમાં દોડધામ મચી

Team News Updates