News Updates
ENTERTAINMENT

આર્યનને મુક્ત કરવા માટે 25 કરોડની લાંચ માંગવામાં આવી:18 કરોડમાં સોદો ફાઇનલ થયો હતો, સીબીઆઈએ ટીમનું નેતૃત્વ કરી રહેલા સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો

Spread the love

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બે વર્ષ પહેલા એક મોટા વિવાદમાં ફસાયો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તેની ક્રુઝ પર ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. જોકે, બાદમાં તેને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતની તપાસમાં સામેલ ટીમનું નેતૃત્વ કરી રહેલા સમીર વાનખેડે સામે હવે ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે.

આર્યન ખાન ડ્રેસ કેસ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તપાસ કરનાર પૂર્વ NCB ચીફ સમીર વાનખેડે પર પૈસા લેવાનો આરોપ છે. સીબીઆઈના સાક્ષી કેપી ગોસાવીએ જણાવ્યું કે સમીરે આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાંથી બચાવવા માટે શાહરૂખ ખાન પાસેથી 25 કરોડની લાંચ માંગી હતી.

જે બાદ ગોસાવીએ પોતે 18 કરોડમાં ડીલની પુષ્ટિ કરી હતી. ગોસાવીએ કમિશન તરીકે રૂપિયા 50 લાખ લીધા હતા. સીબીઆઈ દ્વારા સમીર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, ગોસાવીએ પૂર્વ એનસીબી ચીફના કહેવા પર આર્યન ખાન કેસમાં 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. તેના વળતરમાં આર્યન ખાનને ડ્રગ કેસમાં ફસાવવામાં નહીં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી.

સીબીઆઈએ એનસીબી સાથે જોડાયેલા ચાર લોકોને આરોપી બનાવ્યા
સમીર વાનખેડે ઉપરાંત, સીબીઆઈએ એનસીબી અધિકારી વીવી સિંહ, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં તત્કાલીન તપાસ અધિકારી આશિષ રંજન, કેસી ગોસાવી અને તેમના એક સહયોગી ડિસોઝાને આ કેસમાં આરોપી તરીકે નામ આપ્યા છે.

કેપી ગોસાવી એ જ વ્યક્તિ છે જેણે એનસીબી કસ્ટડીમાં રહેલા આર્યન ખાન સાથે સેલ્ફી લીધી હતી. એફઆઈઆરમાં જે લખ્યું છે તે મુજબ કેપી ગોસાવીને આર્યન સાથે સેલ્ફી લેવાની અને તેનો અવાજ રેકોર્ડ કરવાની સ્વતંત્રતા હતી.

આર્યનને છોડાવવા માટે 18 કરોડ રૂપિયાનો કેસ નક્કી કરવામાં આવ્યો હતો
એફઆઈઆરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સમીર વાનખેડેએ કેપી ગોસાવી અને તેના સહયોગી ડિસોઝાને આર્યનના પરિવારના સભ્યો પાસેથી 25 કરોડ રૂપિયા પડાવવા માટે સંપૂર્ણ છૂટ આપી હતી. બાદમાં આ 18 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું.

ગોસાવી અને ડિસોઝા બંનેએ મળીને રૂ. 50 લાખનું કમિશન લીધું હતું પરંતુ બાદમાં રકમનો એક ભાગ પરત કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે CBIએ 12 મે શુક્રવારે પૂર્વ એનસીબી ચીફ સમીર વાનખેડેના ઘરે દરોડા પાડ્યા હતા. એજન્સીએ મુંબઈ, દિલ્હી, રાંચી અને કાનપુરમાં કુલ 29 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

આર્યનની ઓક્ટોબર 2021માં ધરપકડ કરવામાં આવી હતી
સમીર વાનખેડેએ 2 ઓક્ટોબર, 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રૂઝમાં રેવ પાર્ટીની માહિતી મળ્યા બાદ દરોડો પાડ્યો હતો. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની અહીંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી આર્યન 26 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યો, આ દરમિયાન તેને આર્થર રોડ જેલમાં પણ મોકલવામાં આવ્યો.

આર્યન વિરુદ્ધ નક્કર પુરાવાના અભાવે કોર્ટે તેને 28 ઓક્ટોબરે જામીન પર મુક્ત કર્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટે કોર્ટમાં જુબાની આપી હતી કે આર્યન પાસે ડ્રગ્સ નથી.


Spread the love

Related posts

આજે PAK vs BAN મેચ:સેમિફાઇનલની આશા જાળવી રાખવા માટે પાકિસ્તાને જીતવુ જરૂરી છે, બાંગ્લાદેશ રેસમાંથી બહાર છે

Team News Updates

ISSF ફાઈનલ ઓલિમ્પિક ક્વોલિફિકેશન ચેમ્પિયનશિપમાં 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો;પલક શૂટિંગમાં 20મો ઓલિમ્પિક ક્વોટા જીત્યો

Team News Updates

કરન જોહરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ કર્યા:બર્થડે પર કરન જોહરની ચાહકોને ભેટ, ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ નું પોસ્ટર રિલીઝ

Team News Updates