News Updates
NATIONAL

ઉનાળામાં વધુ પડતી ગરમીમાં કરો જાંબુનું સેવન, મળશે અનેક સ્વાસ્થ્ય ફાયદા

Spread the love

જાંબુ Java Plum તરીકે પણ ઓળખવામાં આવે છે. જાંબુમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે, કાળા જાંબુમાં એન્ટી ઓક્સિડન્ટ, કેલ્શિયમ, ફોસ્ફરોસ અને ફ્લેવોનોઇડ સ્ત્રોત પ્રચુર માત્રામાં સમાયેલા છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે.

ઉનાળામાં વધુ પડતી ગરમીને કારણ ડિહાઇડ્રેશનની તકલીફ વધી જતી હોય છે.આવી સ્થિતીમાં કાળા જાંબુ ડિહાઇડ્રેશનથી બચાવવાની સાથે સાથેઘણી બીમારીઓના જોખમને ઓછું કરવામાં લાભદાયક માનવામાં આવે છે.કાળા જાંબુમાં એન્ટી ઓક્સિડન્ટ, કેલ્શિયમ, ફોસ્ફરોસ અને ફ્લેવોનોઇડ સ્ત્રોત પ્રચુર માત્રામાં સમાયેલા છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે.

હેમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે -કાળા જાંબુમાં વિટામિન-સી અને આર્યન ભરપપર માત્રામાં સમાયેલા છે. જેનું સેવન કરવાથી હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને રક્તને સાફ કરવામાં સહાયક હોયછે. તેમજ રક્તને શુદ્ધ કરવામાં મોટો ભાગ ભજવે છે. આર્યનની ઊણપ અને એનીમિયાથી પીડાતા લોકો જાંબુનું સેવન વિશેષ લાભ કરે છે.

ટાઇપ ટુ ડાયાબિટીસ- જાંબુમાં સમાયેલા પોષક તત્વ અને અન્ટીઓક્સીડન્ટસ ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીઓને રાહત આપે છે. તેનું સેવન બ્લડ સુગરના સ્તરને કન્ટ્રોલમા રાખવા માટે મદદ કરે છે.

હૃદય રોગમાં ફાયદાકારક- જાંબુમાં પોટેશિયમની ભરપુર માત્રા સમાયેલી હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવમાં મદદ કરે છે. ૧૦૦ ગ્રામ જાંબુમાં ૫૫ મિલીગ્રામ પોટેશિયમ હોય છે. હાઇબ્લડ પ્રેશર, હૃદય રોગ એ સ્ટ્રોકજેવી હીમારીને દૂર રાખવામાં આ ફળનું સેવન ફાયદાકારક છે.

ડાયેરિયા- ડાયેરિયા જેવી તકલીફમાં જાંબુને સિંધવ સાથે ખાવાથી રાહત થાય છે.

દાંત-પેઢા- દાંત અને પેઢા સાથે જોડાયેલી સમસયામાં જાંબુના બિયાં અસરકારક છે. તેને સુકવીને તેનો પાવડર બનાવીને તેનું મંજન કરવાથી રાહત થાય છે.

ત્વચા માટે લાભકારી- જાંબુમાં વિટામિન સી સમાયેલું હોય છે, જે ત્વચાને નિખારે છે.તેમાં એન્ટી એજિંગ તત્વ પણ સમાયેલું હોય છે

જાંબુનું સેવન પાચન માટે ફાયદાકારક છે- તેમાં સમાયેલ વિટામિન એ અને સી શરીરને ડિટોક્સીફાઇ કરીને પાચન કરવામાં સહાયક છે. આંતરડામાં સોજા, કબજિયાત અને ગેસ જેવી તકલીફોને ઓછી કરે છે.


Spread the love

Related posts

સીએમ ભૂપેન્દ્ર પટેલની 16માં ફાયનાન્સ કમિશનને રજૂઆત,ગુજરાતની વિશિષ્ટ સ્થિતિને ધ્યાને લઈને વઘુ નાણાં ફાળવવા

Team News Updates

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, 24 કલાકમાં 9 લોકોનાં મોત:ઋષિકેશ-હલ્દવાણીમાં 200 લોકોને બચાવ્યા; ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Team News Updates

સચિન પાયલટે પત્ની સારા સાથે છૂટાછેડા લીધા:ચૂંટણીમાં આપેલા સોગંદનામામાં લખ્યું- ડિવોર્સ્ડ, 19 વર્ષ પહેલા લગ્ન થયા હતા

Team News Updates