News Updates
NATIONAL

કોલ્હાપુરમાં ઔરંગઝેબ અંગે પોસ્ટને લઈને હિંસક અથડામણ:હિન્દુ સંગઠનોના વિરોધ પછી પથ્થરો થયો; પોલીસે લાઠીચાર્જ કર્યો

Spread the love

ઔરંગઝેબના વખાણ કરતી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બુધવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં બંને તરફથી ઉગ્ર લાઠીચાર્જ અને પથ્થરમારો થયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

કોલ્હાપુરના એસપી મહેન્દ્ર પંડિતે કહ્યું કે મંગળવારે વોટ્સએપ ગ્રુપ પર ઔરંગઝેબની પ્રશંસા કરતી એક પોસ્ટ વાયરલ થઈ હતી. તેના વિરોધમાં હિન્દુ સંગઠનોએ બુધવારે કોલ્હાપુર બંધનું એલાન આપ્યું હતું. તેઓ આ લોકો સામે કાર્યવાહીની માગ કરી રહ્યા હતા.

બે લોકો સામે કેસ દાખલ
પંડિતના જણાવ્યા મુજબ આજે સંગઠનોએ શહેરના દશેરા ચોક, ટાઉન હોલ, લક્ષ્મીપુરા વગેરે વિસ્તારોમાં પથ્થરમારો કરીને દેખાવો કર્યા હતા. જેના કારણે સમગ્ર જિલ્લામાં માહોલ તંગ બન્યો હતો. પોલીસે તાત્કાલિક લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. લોકોને શાંત રહેવા અપીલ કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. અહીં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ પોસ્ટને લઈને બે લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ડેપ્યુટી સીએમએ કહ્યું- આવી હરકતો સહન નહીં થાય
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઔરંગઝેબના વખાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા કૃત્યોને સાંખી લેવામાં આવશે નહીં. ફડણવીસે વિરોધ કરી રહેલા લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

શરદ પવારે કહ્યું- કાયદો અને વ્યવસ્થા પર હુમલો કરવો યોગ્ય નથી
એનસીપી ચીફ શરદ પવારે આ ઘટના વિશે કહ્યું કે જો કોઈ ઔરંગઝેબના વખાણમાં ફોટો કે પોસ્ટર લગાવે છે તો કાયદો અને વ્યવસ્થા પર હુમલો કે હિંસા કરવાની જરૂર છે? પવારે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ આવી વૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.

કેટલાક લોકો જાણી જોઈને ભેદભાવ કરી રહ્યા છે. રાજ્યમાં શાંતિ સ્થાપવાની જવાબદારી શાસકોની છે, પરંતુ જો તેમની સાથે જોડાયેલા લોકો રસ્તા પર ઉતરવા લાગે તો અહિંસા દ્વારા કડવાશ ઊભી કરવી યોગ્ય નથી. જે થઈ રહ્યું છે તેની પાછળ એક વિચારધારા છે.


Spread the love

Related posts

Paytm પર ઘેરાયા છે મુસિબતના વાદળ, 15 વર્ષની છે સફર, જાણો સામાન્ય માણસ પર શું થશે અસર ?

Team News Updates

કયા દેશમાં પ્લાસ્ટિકની નોટો સ્વીકારવામાં આવે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

Team News Updates

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કેમિકલના ટેન્કરમાં આગ:4નાં મોત, કેટલાક વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા; ભડભડ સળગતું ટેન્કર બળીને ખાખ

Team News Updates