News Updates
ENTERTAINMENT

કાર્તિક આર્યને રિમેક અંગે લીધો મહત્ત્વનો નિર્ણય:’શહજાદા’ની ફ્લોપ અંગે વાત કરતા જણાવ્યું, ‘એક ને એક વાર્તા જોવા લોકો થિયેટરમાં કેમ પૈસા ખર્ચશે?’

Spread the love

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના કરિયરમાં બે એવી ફિલ્મો આવી જેના કારણે તેમની લાઈફમાં અનેક પ્રકારના ફેરફાર થયા હતા. પહેલી ફિલ્મ હતી ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેમણે કાર્તિકને A-લિસ્ટ અભિનેતાઓની શ્રેણીમાં રાખી દીધો અને બીજી ફિલ્મ હતી ‘ભૂલ ભુલૈયા 2’ જેના કારણે તેમની કરિયરમાં વધુ સફળતા મળી હતી.

જો કે, આ દરમિયાન એક ફિલ્મ આવી હતી ‘શહજાદા’ જે ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફિલ્મ 2020ની સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘આલા વૈકુંઠપુરમલો’ની રિમેક હતી.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કાર્તિકે ફિલ્મની નિષ્ફળતા અને ફિલ્મમાંથી શું શીખ્યા તે વિશે વાત કરી હતી. એક્ટરે કહ્યું કે આ ફિલ્મ કદાચ રીમેક હોવાને કારણે ફ્લોપ રહી હતી.

હું ફરી ક્યારેય રીમેક નહીં કરું : કાર્તિક
‘બીબીસી એશિયન નેટવર્ક’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કાર્તિકે કહ્યું, ‘આ ફિલ્મ ફ્લોપ થયા પછી મને સૌથી મોટી શિખામણ એ મળી હતી કે હું હવે રિમેક નહીં કરું. આ પહેલીવાર હતું જ્યારે મેં રિમેકમાં કામ કર્યું હતું.
મને કંઈક નવો અનુભવ મળ્યો હતો, હું તે કેમેરા અને સ્ક્રીન પર કરી રહ્યો હતો, તેથી તે એક અલગ અનુભવ હતો.

એ જ વાર્તા ફરીથી જોવા લોકો થિયેટરોમાં કેમ જશે?
શૂટિંગ કરતી વખતે મને કંઈ લાગ્યું નહોતું, પરંતુ શૂટિંગ પછી લાગ્યું કે આ કંઈક છે જે લોકોએ જોઈ લીધું છે. તો શા માટે તેઓ તેને ફરીથી જોવા પૈસા ખર્ચીને થિયેટરોમાં જશે? તો આ ફિલ્મમાંથી મને સૌથી મોટો પાઠ મળ્યો છે.

ફિલ્મ ‘શહજાદા’એ વિશ્વભરમાં 47.43 કરોડની કમાણી કરી હતી. તે જ સમયે, તેણે ભારતીય બોક્સ ઓફિસ પર 38.33 કરોડ રૂપિયાની કમાણી કરી.


Spread the love

Related posts

નવા અવતારમાં જોવા મળ્યો MS ધોની, જાણો કોણે કરી આપી આ હેરસ્ટાઈલ

Team News Updates

વિશ્વનો સૌથી અમીર Sportsman

Team News Updates

ધમકી મળી સલમાન ખાનના પિતા સલીમ ખાનને મોર્નિંગ વોક દરમિયાન,લોરેન્સ બિશ્નોઈને મોકલું

Team News Updates