News Updates
GUJARAT

અમરાપુર ગીર ને પી જી વી સી એલ દ્વારા માળિયા હા. સબ ડિવઝન માથી મેંદરડા માં સમાવેશ કરતા વિરોધ સ્થાનિકો દ્વારા વિરોધ, આવેદન પત્ર આપી આંદોલનની ચીમકી

Spread the love

માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામ વર્ષોથી પી જી વી સી એલ દ્વારા 66 કે વી અમરાપુર માથી પાવર સપ્લાય અપાઈ છે અને માળિયા હાટીના કચેરી ખાતેથી ત્યારે એકાએક પી જી વી સી એલ ના સબ ડિવિઝન હેઠળ સમાવેશ છે ત્યારે એકાએક લોડ વધારાના બહાના હેઠળ પી જી વી સી એલ દ્વારા મેંદરડા સબ ડિવિઝન હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ હોય અમરાપુર ના ગ્રામજનો તથા ખેડૂતોમાં રોષ પ્રગટેલ અને રોષ ભર આજે માળિયા હાટીના કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયર શ્રીને સરપંચ ભાયલુભાઈ સોલંકી, પી ડી કારીયા, કાંતિભાઈ ખાનીયા, મામદભાઈ સમનાની સહિત બહોળી સંખ્યામાં લોકો એ આવેદન પત્ર આપી ઉપરોક્ત મેંદરડા સબ ડીવીઝનલ સામેલ કરવાનો નિર્ણય રદ કરી અમરાપુર માળિયા હા સબ ડિવિઝન માં ચાલુ રાખવાની માંગ કરી છે અમરાપુર ગામનું તાલુકા મથક માળિયા હા છે અને અમરાપુર થી માત્ર 12 કી મી જ થાય છે જ્યારે મેંદરડા 24 કી મી થાય છે અને વારંવાર વીજ ફોલ્ટ માટે મેંદરડા જવું શક્ય ના હોય અમરાપુર ને માળિયા હાટીના માં જ રાખવાની માંગ સાથે જો યોગ્ય નહિ કરવામાં આવે રસ્તા રોકો, સરકારી કચેરીઓને તાળાબંધી સહિત ઉગ્ર આંદોલન સરપંચ ભયલુભાઇ સોલંકીની આગેવાની હેઠળ કરવાની ચીમકી આપી હતી.

અહેવાલ : ભાવિન ઠકરાર (માળીયા હાટીના)


Spread the love

Related posts

કરોડોની સંપત્તિ, બે પત્નીઓ, નેપાળમાં હોટલ અને 200 ચોરીઓ… આ ચોરની સ્ટોરી તમને ચોંકાવી દેશે !

Team News Updates

Ambaji Temple:પોણા નવ મણ સોનું જમા કર્યું, અંબાજી મંદિર દ્વારા સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં

Team News Updates

ભગવાનને મંદિરમાંથી બહાર લાવવાની તૈયારી શરૂ, 25 લાખ લોકો ઊમટવાની શક્યતા પુરીમાં રથયાત્રા શરૂ, ભગવાન 28 જૂને મંદિરમાં પરત ફરશે

Team News Updates