News Updates
GUJARAT

અમરાપુર ગીર ને પી જી વી સી એલ દ્વારા માળિયા હા. સબ ડિવઝન માથી મેંદરડા માં સમાવેશ કરતા વિરોધ સ્થાનિકો દ્વારા વિરોધ, આવેદન પત્ર આપી આંદોલનની ચીમકી

Spread the love

માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામ વર્ષોથી પી જી વી સી એલ દ્વારા 66 કે વી અમરાપુર માથી પાવર સપ્લાય અપાઈ છે અને માળિયા હાટીના કચેરી ખાતેથી ત્યારે એકાએક પી જી વી સી એલ ના સબ ડિવિઝન હેઠળ સમાવેશ છે ત્યારે એકાએક લોડ વધારાના બહાના હેઠળ પી જી વી સી એલ દ્વારા મેંદરડા સબ ડિવિઝન હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ હોય અમરાપુર ના ગ્રામજનો તથા ખેડૂતોમાં રોષ પ્રગટેલ અને રોષ ભર આજે માળિયા હાટીના કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયર શ્રીને સરપંચ ભાયલુભાઈ સોલંકી, પી ડી કારીયા, કાંતિભાઈ ખાનીયા, મામદભાઈ સમનાની સહિત બહોળી સંખ્યામાં લોકો એ આવેદન પત્ર આપી ઉપરોક્ત મેંદરડા સબ ડીવીઝનલ સામેલ કરવાનો નિર્ણય રદ કરી અમરાપુર માળિયા હા સબ ડિવિઝન માં ચાલુ રાખવાની માંગ કરી છે અમરાપુર ગામનું તાલુકા મથક માળિયા હા છે અને અમરાપુર થી માત્ર 12 કી મી જ થાય છે જ્યારે મેંદરડા 24 કી મી થાય છે અને વારંવાર વીજ ફોલ્ટ માટે મેંદરડા જવું શક્ય ના હોય અમરાપુર ને માળિયા હાટીના માં જ રાખવાની માંગ સાથે જો યોગ્ય નહિ કરવામાં આવે રસ્તા રોકો, સરકારી કચેરીઓને તાળાબંધી સહિત ઉગ્ર આંદોલન સરપંચ ભયલુભાઇ સોલંકીની આગેવાની હેઠળ કરવાની ચીમકી આપી હતી.

અહેવાલ : ભાવિન ઠકરાર (માળીયા હાટીના)


Spread the love

Related posts

નેશનલ લોકઅદાલત જામનગરમાં:પેન્ડિંગ રહેલા 8 હજાર કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું,ન્યાયની અપેક્ષા સાથે અનેક લોકોએ ભાગ લીધો

Team News Updates

 કુરકુરે પતિ ના લાવ્યો ,નારાજ પત્ની  થઇ ગઇ,માંગી લીધા છૂટાછેડા 

Team News Updates

Panchmahal:દુર્ઘટના બને તો જવાબદાર કોણ?મોતની મુસાફરી કરતા મુસાફરો,પંચમહાલમાં ખાનગી બસના ચાલકોએ પરપ્રાંતિય મજૂરોને બસના છાપરા પર બેસાડી મુસાફરી કરાવી

Team News Updates