News Updates
GUJARAT

Jamnagar:કરૂણ બનાવ જામનગરનો:પાંચ મહિના પહેલા પતિનું અવસાન થતાં તેના વિયોગમાં પત્નીએ ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું

Spread the love

જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિના મૃત્યુના વિયોગમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પતિના મૃત્યુ બાદ માનસિક સમતુલા ગુમાવી બેસતાં વારંવાર સારવાર માટે દાખલ કરાયા પછી આ પરિસ્થિતિથી તંગ આવી જઈ જિંદગીનો અંત લાવી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની મળતી માહિતી મુજબ જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી શેરી નંબર ત્રણમાં રહેતી ચેતનાબેન હિતેશગીરી ગોસાઈ નામની 43 વર્ષની પરિણીતાએ ગઈકાલે પોતાના મકાનના બીજા માળે પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના કુટુંબી ધર્મેન્દ્રભાઈ જમનભારથી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઈ જે.પી. સોઢા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતીના પતિનું આજથી પાંચેક મહિના પહેલાં અવસાન થયું હતું, જેના આઘાતમાં પોતે માનસિક બીમાર થઈ ગયા હતા, અને આ બીમારીના કારણે આશરે પાંચથી છ વખત હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર લેવાનો વારો આવ્યો હતો. જે બીમારીથી કંટાળી ગઈકાલે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.


Spread the love

Related posts

Dang:ગીરાધોધનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું

Team News Updates

રાજકોટ ટ્રાફિક પોલીસની અનોખી પહેલઃ ૬૮ વાહન ચાલકોને અપાઇ હેલ્મેટ

Team News Updates

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ST વિભાગની 300થી વધારે બસોનું કર્યુ લોકાર્પણ

Team News Updates