News Updates
BUSINESS

એક્સપેક્ટેડ પ્રાઇઝ ₹25,000;વીવો V30e સ્માર્ટફોન 2 મેના રોજ લોન્ચ થશે,6.78-ઇંચની HD+ એમોલેડ ડિસ્પ્લે અને 50MP મેઇન કેમેરા

Spread the love

ચીનની ટેક કંપની વીવો આવતા મહિને વધુ એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપની વીવો V29 નું આગામી વર્ઝન ‘વીવો V30e’ 2 મેના રોજ લોન્ચ કરશે. સ્માર્ટફોનમાં 5500mAh બેટરી અને 50-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હશે.

આ ઉપરાંત કંપની આ ફોનમાં 6.78 ઇંચની ફુલ HD+ એમોલેડ ડિસ્પ્લે, 50MP મુખ્ય કેમેરા અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 6 જેન 1 ચિપસેટ આપી શકે છે. કંપની આ સ્માર્ટફોનને બે કલર અને બે સ્ટોરેજ ઓપ્શનમાં લોન્ચ કરી શકે છે.

વીવો V30eની શરૂઆતની કિંમત 25,000 રૂપિયા હોઈ શકે છે. કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ અને X હેન્ડલ પર લોન્ચિંગ તારીખ વિશે માહિતી આપી છે. લોન્ચિંગ ડેટ સિવાય કંપનીએ માત્ર કેટલીક મર્યાદિત માહિતી આપી છે.

  • ડિસ્પ્લે: વીવો V30e સ્માર્ટફોન 120Hz રિફ્રેશ રેટ સાથે 6.78 ઇંચની ફુલ HD + એમોલેડ ડિસ્પ્લે આપી શકે છે. જેનું રિઝોલ્યુશન 2400×1080 પિક્સેલ અને પીક બ્રાઈટનેસ 2,000 નીટ્સ હશે.
  • કેમેરા: સ્માર્ટફોનમાં 2MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા સાથે પાછળની પેનલ પર 50MP મુખ્ય કેમેરા હોવાની અપેક્ષા છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50MP ફ્રન્ટ કેમેરા હશે.
  • બેટરી અને ચાર્જિંગ: કંપનીએ પુષ્ટિ કરી છે કે Vivo V30e સ્માર્ટફોનમાં 5500mAh બેટરી હશે. તેને ચાર્જ કરવા માટે કંપની 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપી શકે છે.
  • ઓપરેટિંગ સિસ્ટમ અને પ્રોસેસર: એન્ડ્રોઇડ 14 પર આધારિત Funtouch OS14 વીઓ V30e સ્માર્ટફોનમાં મળી શકે છે. જો આપણે પ્રોસેસરની વાત કરીએ તો કંપની ક્વાલકમ સ્નેપડ્રેગન 6 જેન1 ચિપસેટ આપી શકે છે.
  • રેમ અને સ્ટોરેજઃ વીવો આ સ્માર્ટફોનમાં બે રેમ અને સ્ટોરેજ ઓપ્શન આપી શકે છે. તેમાં 8GB રેમ સાથે 128GB ઈન્ટરનલ સ્ટોરેજ અને 12GB સાથે 256GB સ્ટોરેજનો વિકલ્પ હોઈ શકે છે.
  • કનેક્ટિવિટી: સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે, કંપની યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ, 2જીથી 5જી બેન્ડ સપોર્ટ અને સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપી શકે છે.

Spread the love

Related posts

ગુજરાત સરકારની કંપનીએ 5858% Multibagger Return આપ્યું, કંપની તરફ વિદેશી રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Team News Updates

2000ની નોટ પર પ્રતિબંધના સમાચારથી ગુજરાતમાં સોનું મોંઘુ!:વેપારીઓ 10 ગ્રામ માટે 70 હજાર તો એક કિલો ચાંદીના 80 હજાર લઈ રહ્યા છે

Team News Updates

નારાયણ મૂર્તિએ કહ્યું- ભારતીયોએ 3 શિફ્ટમાં કામ કરવું જોઈએ:સવારે 11 થી સાંજના 5ની શિફ્ટથી વિકાસ નહીં થાય, ફાસ્ટ ડિસીઝન લેવાની જરુર

Team News Updates