News Updates
JUNAGADHSAURASHTRA

સાઇકલ ચલાવવા પ્રેરીત કરતો સાઇકલ યાત્રી:સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનોખો સાઇકલ યાત્રી પહોંચ્યો; ભારતના ગામો ગામ સાઇકલ લઈ પ્રકૃતી જતનનો સંદેશ આપી રહેલો છે

Spread the love

ભારતના ગામો ગામ સાઇકલ લઈ સાઇકલ યાત્રી પ્રકૃતી જતનનો સંદેશ આપી રહેલો છે. યાત્રા માટે અનોખી સાઇકલ પણ બનાવી. જેમાં જીવન જરૂરી વસ્તુઓ પણ સામીલ કરી છે. વાપીના પરમવીર ભારતીએ સાઇકલ પર સોમનાથ પહોંચી મહાદેવના દર્શન કર્યા હતા. તેઓ ભારત દેશના ગામડાઓ તથા શહેરોની સાઇકલ યાત્રા કરવા નીકળ્યા છે. ગઈકાલે તેઓ સોમનાથ આવી પહોંચેલા અને સોમનાથ મહાદેવના દર્શન કરી તેઓએ સોમનાથ આવતા યાત્રીઓને સાઇકલ ચલાવવા પ્રેરીત કરેલા.

વિશેષમાં સાઇકલ ચલાવવાના ફાયદાઓ અંગે તેઓએ જણાવેલું કે, સાઇકલ ચલાવી આપણે પ્રકૃતિ અને અર્થતંત્ર માટે વિશેષ યોગદાન આપી શકીએ. સાથે જ સ્વાસ્થયને લગતા ફાયદાઓ પણ ખુબ મહત્વના છે. યાત્રી પરમવીર ભારતીએ સુંદર આવાસ-ભોજન સહિતની સુંદર યાત્રી સેવા બદલ સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરેલ હતો.


Spread the love

Related posts

મુંબઇ-દિલ્હીની ફલાઇટ ફળી:રાજકોટ એરપોર્ટમાં એપ્રિલમાં 65 હજારથી વધુ મુસાફરો નોંધાયા, કુલ 513 ફલાઇટોએ ઉડાન ભરી

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક:મહેસાણાના ત્રણ શખસોએ 60 લાખ લઇ ટેક્સીથી અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી, પછી કેનેડાથી હોડીમાં બેસાડ્યા ને મોત મળ્યું

Team News Updates