News Updates
INTERNATIONAL

શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે PM મોદીને મળ્યા:મોદીએ કહ્યું- મુશ્કેલ સમયમાં અમે શ્રીલંકાની સાથે છીએ; UPIના ઉપયોગ પર સમજુતી થઈ

Spread the love

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે 2 દિવસના ભારત પ્રવાસે છે. શુક્રવારે તેઓ PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય અને ડેલિગેશન સ્તરની વાતચીત થઈ હતી. આ દરમિયાન શ્રીલંકામાં UPIના ઉપયોગને મામલે સમજૂતી થઈ હતી. PM મોદીએ કહ્યું- અમારા સંબંધો પ્રાચીન અને વ્યાપક છે. શ્રીલંકા અને ભારત વચ્ચે એર કનેક્ટિવિટી વધારવામાં આવશે. પેસેન્જર ફેરી સર્વિસ શરૂ થશે. વીજળી ગ્રીડ પર કામ કરવામાં આવશે.

આ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ NSA અજીત ડોભાલ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે કોલંબો પોર્ટને લઈને ચર્ચા થઈ હતી.

ગુરુવારે સાંજે ભારત પહોંચેલા વિક્રમસિંઘેનું કેન્દ્રીય રાજ્ય મંત્રી વી મુરલીધરન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. ધ મિન્ટના અહેવાલ અનુસાર, આ મુલાકાત દરમિયાન તેઓ શ્રીલંકાની અર્થવ્યવસ્થા, ચીન અને વેપાર અંગે ચર્ચા કરશે.

વિક્રમસિંઘે આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે. તેમની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશ આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

નાણાકીય કટોકટી પછી ભારતની પ્રથમ મુલાકાત
ગયા વર્ષે શ્રીલંકામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોએ બળવો કરીને રાજપક્ષેની સરકારને ઉથલાવી દીધી હતી. આ પછી રાનિલ વિક્રમસિંઘેએ દેશની કમાન સંભાળી. ખરેખરમાં, ગોટાબાયા રાજપક્ષેનો બાકીનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી રાનિલ જ રાષ્ટ્રપતિ રહેશે. આ કાર્યકાળ સપ્ટેમ્બર 2024 સુધીનો છે.

શ્રીલંકામાં ભારતની મદદથી કરોડો રૂપિયાની કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને મોદી સાથે મળીને તેની સમીક્ષા કરશે. કેટલાક પ્રોજેક્ટ એવા છે જે પૂર્ણ થયા છે. પાવર અને એનર્જી, કૃષિ અને નેવી સંરક્ષણ સંબંધિત બાબતો વધુ મહત્વ ધરાવે છે.

ભારતના પ્રવાસ પહેલા રૂપિયાને સામાન્ય ચલણ તરીકે બનાવવાની મંજૂરી
ભારતની મુલાકાત પહેલા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું હતું કે શ્રીલંકા ઈચ્છે છે કે ભારતીય રૂપિયાનો પણ અમેરિકન ડોલર જેટલો જ ઉપયોગ થાય. તેમણે કહ્યું હતું કે જો રૂપિયાનો સામાન્ય ચલણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. આપણે જોવું પડશે કે આ પછી આપણે કયા જરૂરી ફેરફારો કરવા પડશે.

વિક્રમસિંઘેએ કહ્યું હતું કે- જેમ જાપાન, કોરિયા અને ચીન સહિતના પૂર્વ એશિયાના દેશોએ 75 વર્ષ પહેલા મોટા પાયે વિકાસ કર્યો હતો, તે જ રીતે હવે ભારત અને હિંદ મહાસાગર ક્ષેત્રનો વારો છે. વિશ્વનો વિકાસ થઈ રહ્યો છે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત પણ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિનું આ નિવેદન કોલંબોમાં ભારતીય સીઈઓ ફોરમને સંબોધિત કરતી વખતે સામે આવ્યું હતું.


Spread the love

Related posts

International:બ્લેન્ડરમાં પીસ્યા બોડી પાર્ટ્સને, એસિડમાં ઓગાળ્યા:હત્યાના 7 મહિના પછી ઘટસ્ફોટ, મિસ સ્વિટ્ઝર્લેન્ડની ફાઇનલિસ્ટનું તેના પતિએ જ ગળું દબાવ્યું

Team News Updates

રશિયા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બનાવશે ચંદ્ર પર:2035 સુધીમાં જોડાવાનું લક્ષ્ય,તેનાથી મૂન મિશનમાં મદદ મળશે,ભારત-ચીનની સામેલ થવાની ઇચ્છા

Team News Updates

Chemical Fertilizer: ભારતમાં રાસાયણિક ખાતર બનાવવાની શરૂઆત ક્યારથી થઈ? જાણો તેનો ઈતિહાસ

Team News Updates