News Updates
GUJARAT

ત્રણ રેલ કોરિડોર થશે શરૂ, માલ-પરિવહન પ્રોજેક્ટનો વિકાસ થશે

Spread the love

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2024-25 માટે ભારતનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. બજેટની શરૂઆતની જાહેરાતોમાં જ તેમણે ટ્રાન્સપોર્ટ માટે મોટી જાહેરાતો કરી છે. સરકાર સામાન્ય ટ્રેનોના કોચને વંદે ભારત સ્ટાન્ડર્ડ બનાવવા માટે બદલવાની તૈયારી કરી રહી છે. આ સિવાય મેટ્રો અને નમો રેલને અન્ય શહેરોમાં પણ વિસ્તરણ કરવામાં આવશે.

ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે.

40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. વિમાન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને વિકાસ કરી રહી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે બાયોફ્યુઅલ માટે સ્કીમ લાવ્યા છીએ. જાહેર પરિવહન માટે ઈ-વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે.

ત્રણ મુખ્ય કોરિડોરમાં એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર, પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને હાઇ ટ્રાફિક ડેન્સિટી કોરિડોરનો સમાવેશ થાય છે.

સીતારામન કહે છે કે, આ નવા કોરિડોરની ઓળખ પીએમ ગતિ શક્તિ પહેલ હેઠળ કરવામાં આવી છે. આ સિવાય હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર ઝડપી અને સુરક્ષિત રેલ મુસાફરીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.

આ સાથે સરકારે 3 નવા રેલ કોરિડોર બનાવવાની પણ જાહેરાત કરી છે અને માલ ભાડા કોરિડોરનું કામ પણ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલમાં દેશમાં 149 એરપોર્ટ કાર્યરત છે.


Spread the love

Related posts

દુનિયાના આ 3 લોકો પાસપોર્ટ વગર કોઈપણ દેશમાં જઈ શકે છે! શું તમે જાણો છો કે આ ત્રણ લોકો કોણ છે?

Team News Updates

ગીર સોમનાથ જિલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક પ્રાંત કચેરી ખાતે યોજાઇ

Team News Updates

સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં કાયમી ધોરણે થર્ડ એસી ઇકોનોમી કોચ લગાડવવામાં આવશે

Team News Updates