News Updates
GUJARAT

સ્વામિનારાયણ અને સનાતનનો વિવાદ ફરી ગરમાયો, કવરેજ કરવા જતા મીડિયા કર્મી ઉપર 1000 મહિલા તેમજ પુરુષોના ટોળાઓ કર્યો હુમલો

Spread the love

સ્વામિનારાયણ અને સનાતનનો વિવાદ ફરી ગરમાયો છે. મહિસાગરના લુણાવાડામાં સ્વામિનારાયણને મોટા બતાવવાનો પ્રયાસ કરાયાના આરોપ લગાવવામાં આવ્યો. છપૈયા સોસાયટીમાં ગણપતિ કરતા સ્વામિનારાયણને મોટા બતાવાયા હતા. મીડિયા કર્મચારી કવરેજ કરવા જતાં હુમલો કરાયો હોવાની પણ વાત સામે આવી હતી.

મહીસાગરના લુણાવાડા શહેરમાં છપૈયા ધામ સોસાયટી વિસ્તારમાં ગણપતિ ભંડારમાં સ્વામિનારાયણ ભગવાનની ગણપતિ કરતા મોટા બતાવતા વિવાદ સર્જાયો છે. એક ફેસબુક એકાઉન્ટમાં કરેલ પોસ્ટના આધારે મીડિયા કર્મી ત્યાં કવરેજ કરવા જતા મીડિયા કર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો. અંદાજિત 1000 મહિલા તેમજ પુરુષોના ટોળાઓ એ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો.

કેમેરા સહિત મંદિરમાં બન્ને મીડિયા કર્મીઓને ગોધી રાખવામાં આવ્યા તેમના કેમેરા મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે અને અમારા ભગવાન મોટા તેમ કહી મીડિયા કર્મીઓને માફી માગવા માટે પણ કહ્યું. લુણાવાડા શહેરમાં સમગ્ર ઘટનાને લઈને ભારે રોષ છે. લુણાવાડા છપૈયા ધામ સોસાયટીના રહીશો દ્વારા હુમલો તથા ભારે રોષ વ્યાપ્યો છે.


Spread the love

Related posts

કાળભૈરવ જયંતી:સિંદૂર અને ચમેલીના તેલથી કરો શ્રૃંગાર,ભગવાન શિવના અવતાર ભૈરવ બાબાનો

Team News Updates

રાજકોટની આજીડેમ પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી: પી.આઈ. એલ.એલ. ચાવડાને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો રૂ. ૫ હજારનો દંડ

Team News Updates

 સાનિધ્યમાં વિકસાવાયું જેપુરા-વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર, 100થી વધુ પ્રકારના 11 હજાર વૃક્ષો ઉછેરાયા

Team News Updates