News Updates
ENTERTAINMENT

ફોટો સાથે છેડછાડ, આખી સ્કૂલમાં ફેલાઈ ગઈ તસવીર, જાહ્નવી કપૂરે કર્યો શોકિંગ ખુલાસો

Spread the love

જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) 2018માં ફિલ્મ ધડકથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી જાહ્નવી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલના એક ઈન્ટરવ્યુમાં જાહ્નવીએ કહ્યું કે જ્યારે જાહ્નવી સ્કૂલમાં હતી ત્યારે તેના ફોટોમાં ફેરફાર કરીને તેને અશ્લીલ બનાવવામાં આવ્યો હતો. આ સમાચાર સમગ્ર સ્કૂલમાં ફેલાઈ ગયા હતા. આ પછી તેને ઘણી મુશ્કેલી સામનો કરવો પડ્યો. શું છે આ સમગ્ર કોન્ટ્રોવર્સી?.

સેલિબ્રિટી ફેમિલીમાંથી છે. આ કારણે તે બાળપણથી જ લોકોની નજરમાં રહી હતી. શાળાના દિવસોમાં પણ તેમનું બાળપણ સામાન્ય બાળક જેવું ન હતું. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેને કહ્યું કે તે નાની હતી ત્યારે પણ કેમેરા તેના જીવનનો એક ભાગ હતો. ધડકથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર જાહ્નવી કપૂરે કેટલીક એવી વાતો જણાવી છે જે તમને હેરાન કરી શકે છે.

હાલના એક ઈન્ટરવ્યુમાં જાહ્નવી કપૂરે AI અને ફોટો મોર્ફિંગ પર એક મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુમાં જાહ્નવી કપૂરે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે કોઈએ તેના ફોટો સાથે છેડછાડ કરી હતી. આ સમાચાર સમગ્ર સ્કૂલમાં ફેલાઈ ગયા હતા. આ પછી તેને ઘણી મુશ્કેલી સામનો કરવો પડ્યો.

ત્યારબાદ જાહ્નવી કપૂર કહે છે કે તે તસવીરો સાથે છેડછાડ કરીને તેના ફોટોને અશ્લીલ બનાવવામાં આવી હતી. આ પછી તે ફોટા આખી શાળામાં ફેલાઈ ગયા. જાહ્નવી કપૂર આગળ કહે છે કે આ બધું થયા પછી જાહ્નવી કપૂરના મિત્રોનું તેના પ્રત્યેનું વર્તન બિલકુલ બદલાઈ ગયું. બધાએ તેની સામે વિચિત્ર રીતે જોતા હતા.

AI ટેક્નોલોજી પર વ્યક્ત કરી ચિંતા

પોતાની સ્કૂલની આ સ્ટોરી શેર કરતી વખતે જાહ્નવી કપૂરે AI ટેક્નોલોજી પર ચિંતા વ્યક્ત કરી હતી. કહ્યું કે આજકાલ ટેક્નોલોજી અને AIનો જમાનો છે. આ સમયે કોઈપણનો ફોટો મોર્ફ કરી શકાય છે. આ બાબત તેને ઘણી હેરાન કરે છે. જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો હાલમાં જ OTT પર રિલીઝ થયેલી ‘બવાલ’માં વરુણ ધવન સાથે જોવા મળી હતી. ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી હતા.

ફોટો કોન્ટેસ્ટ પર અનિલ કપૂર

આજે AIનો જમાનો છે. આપણે બધા અમુક અંશે આપણી પ્રાઈવસીને લઈને સર્તક રહીએ છીએ. ફોટોગ્રાફ્સના ઉપયોગને લઈને પણ વિવાદો ચાલુ છે. હાલમાં જ અનિલ કપૂરે પણ નિવેદન જાહેર કર્યું હતું કે તેમનો ફોટો વગર કોન્ટેસ્ટ વિના ઉપયોગ કરી શકાશે નહીં.


Spread the love

Related posts

AISHWARIYA-ABHISHEK બચ્ચનનાં મતભેદનાં આ હોઈ શકે છે, કારણો…

Team News Updates

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો:નીતિન દેસાઈનું મોત ગળેફાંસો ખાવાથી થયું; પરિવારે કહ્યું, અંતિમ સંસ્કાર એનડી સ્ટુડિયોમાં જ થશે

Team News Updates

 ફિલ્મ ‘મહાવતાર’ની જાહેરાત: પરશુરામ બનશે વિકી કૌશલ,એક્ટરનો લાંબા વાળ, વધેલી દાઢી અને હાથમાં કુહાડી સાથે દમદાર લુક 

Team News Updates