News Updates
ENTERTAINMENT

બિગ બોસમાંથી કોણ થશે બહાર? પ્રિયંકાની બહેન સહિત આ સ્પર્ધકને પહેલા જ અઠવાડિયામાં આંચકો લાગ્યો

Spread the love

‘બિગ બોસ સીઝન 17’ (Bigg Boss 17)માં દરરોજ મેકર્સ એક નવો ટ્વિસ્ટ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘરમાં પ્રવેશ્યા પછી, પ્રથમ અઠવાડિયામાં ઘરના સભ્યોમાં કોઈ નોમિનેશન ટાસ્ક હોતું નથી.આ અઠવાડિયે બિગ બોસે ત્રીજા દિવસે જ નોમિનેશન ટાસ્ક શરૂ કરી દીધું છે. બિગ બોસે આ 3 સ્પર્ધક સિવાય અન્ય તમામ ખેલાડીઓને બિગ બોસે સુરક્ષિત જાહેર કર્યા છે

કલર્સ ટીવીનો વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 17 (Bigg Boss 17 )માં સ્પર્ધકો આવતાની સાથે જ નોમિનેશન ટાસ્કની જાહેરાત કરી દીધી છે. આ નોમિનેશન ટાસ્કમાં અભિનેત્રી મુન્નાર ચોપરા , સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ નાવેદ સોલ અને અભિષેક કુમાર ઘરના સભ્યોને બહાર કરવાનો એક ટાસ્ક આપ્યો છે. હવે ત્રણ દિસમાં ક્યો સ્પર્ધક ઘરની બહાર થાય છે.આ બિગ બોસના ચાહકોને નક્કી કરવાનું છે. આ ટાસ્ક દરમિયાન તમામ 17 ખેલાડીઓને બિગ બોસમાં એકબીજાને વોટ કરવાનું કહ્યું હતુ.

સ્પર્ધક બિગ બોસ 17માંથી થશે બહાર

દરેક રુમમાં રહેનાર સ્પર્ધકને બિગ બોસ પુછે છે કે, તે ક્યાં સ્પર્ધકને ઘરમાંથી બહાર કરવા માંગે છે. સૌથી પહેલા દિલ રુમમાં રહેનાર સ્પર્ધકોને સવાલ પુછવામાં આવ્યો. અંકિતા લોખંડે આ સવાલનો જવાબ આપતા તેણે નીલ ભટ્ટનું નામ લીધું હતુ. તો નીલ ભટ્ટે, એશ્વર્યા શર્મા, વિક્કી જૈન અને ઈશા માલવીયાએ મન્નાર ચોપરાનું નામ લીધું તો મન્નાર ચોપરાએ ઈશાનું નામ લીધું હતુ.

મુન્વવર અને ટીમે અભિષેક કુમાર પર સાધ્યું નિશાન

દિમાગ રુમમાં સામેલ તમામ સ્પર્ધકે યુકેના સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ નાવેદ સોલેનું નામ લીધું છે. તો મુનવ્વર ફારુકીની સાથે દમ રુમમાં સામેલ તમામ સ્પર્ધકે અભિષેક કુમારનું નામ ખોટી કાસ્ટિંગ આપી દીધું હતુ.આ 3 સ્પર્ધક સિવાય અન્ય તમામ ખેલાડીઓને બિગ બોસે સુરક્ષિત જાહેર કર્યા છે.વિકી જૈનના નોમિનેશનથી મન્નરા ખૂબ જ દુઃખી હતી. તેથી નાવેદ સોલ પણ તેમના નામથી ખુશ જણાતો ન હતો. પરિવારના કેટલાક સભ્યોએ કહ્યું કે જો બધાએ સાથે મળીને નોમિનેશનનું કામ કર્યું હોત તો મન્નરા ચોપરાનું નામ નોમિનેશનમાં સામેલ ન થાત.


Spread the love

Related posts

સિઝનની પ્રથમ સેમિફાઈનલમાં ગાયત્રી-ત્રિસાની જોડી પહોંચી:  દક્ષિણ કોરિયાને હરાવ્યું સિંગાપોર ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર 6

Team News Updates

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદમાં રમાઈ શકે:આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે, હોસ્ટિંગ માટે 12 શહેરોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે

Team News Updates

આર્યનને મુક્ત કરવા માટે 25 કરોડની લાંચ માંગવામાં આવી:18 કરોડમાં સોદો ફાઇનલ થયો હતો, સીબીઆઈએ ટીમનું નેતૃત્વ કરી રહેલા સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો

Team News Updates