News Updates
AHMEDABAD

મોરબી ઝુલતો બ્રિજ દૂર્ઘટનાના મૃતકોના પરિવારજનોએ ગાંધી આશ્રમમાં યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

Spread the love

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષનો સમય વિતી ગયો છે, પરંતુ હજી સુધી મૃતકોના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં હજી 135 મૃતકોના પરિવારજનો ન્યાય ઝંખી રહ્યાં છે.135થી વધુ મૃતકોના પરિવારજનો સરકાર સમક્ષ ન્યાયની માગ કરી રહ્યાં છે. સરકાર ત્વરિત દોષિતો સામે પગલાં લે તેવી અપેક્ષા પરિવારજનો રાખી રહ્યાં છે.

મોરબી કેબલ બ્રિજ ધરાશાયી થવાની ગોઝારી દૂર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટવાને કારણે 135થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે આજે પણ મોરબીના લોકો માટે આ દુર્ઘટના હજુ તાજી જ છે. ત્યારે આ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી કેબલ બ્રિજ દૂર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થવાને લઇને ઘટનાના મૃતકોના પરિવારજનો આજે અમદાવાદના ગાંધી આક્ષમ ખાતે એકઠા થયા હતા અને શ્રદ્ધાંજલિ સભા યોજી હતી.

લોકો પોતાના મૃતક સ્વજનના ફોટો સાથે ગાંધી આશ્રમમાં એકઠા થયા હતા.વિવિધ પોસ્ટર અને બેનર હાથમાં પકડની તેમણે ન્યાયની માગ કરી હતી. સરકાર ત્વરિત દોષિતો સામે પગલાં લે તેવી અપેક્ષા પરિવારજનો રાખી રહ્યાં છે.

દૂર્ઘટનાની પ્રથમ વાર્ષિક તિથિ નિમિતે પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યપ્રધાન નિવાસ ગાંધીનગર સુધી 24 કિલોમીટર સુધીની શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધી આશ્રમમાં આજે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના 200 જેટલા પરિવારજનો જોડાયા છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં SITનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે.


Spread the love

Related posts

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર

Team News Updates

અમદાવાદીઓ પિત્ઝા જોઈને ખાજો!:બોપલ બાદ એલિસબ્રિજમાં લાપિનોઝ સેન્ટરમાં બોક્સ ખોલતાં જ પિત્ઝામાંથી 10થી 15 જીવડા નીકળ્યા, સ્ટાફે ભૂલ સ્વીકારી માફી માગી

Team News Updates

સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ આજે 2 વાગ્યાથી જાહેર જનતા માટે બંધ

Team News Updates