News Updates
AHMEDABAD

ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે:અમદાવાદના વિશાલા સર્કલ પાસે રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ, રમકડાની બેટરી બ્લાસ્ટ થતા 3 ફાયરકર્મી દાઝ્યા

Spread the love

અમદાવાદના સરખેજ વિસ્તારમાં વિશાલા સર્કલ પાસે આવેલી બરફની ફેક્ટરીની બાજુમાં રમકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની 10થી વધુ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. ગોડાઉનની આસપાસ જેટલી પણ અન્ય દુકાનો કે ગોડાઉન આવેલાં છે તેને ખાલી કરાવવામાં આવ્યાં હતાં. રમકડાનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. ચીફ ઓફિસર સહિતના અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા.

બેટરીથી ચાલતાં પણ કેટલાંક રમકડાઓ હતાં
મળતી માહિતી મુજબ અમદાવાદના સરખેજ વિસ્તારમાં બરફની ફેક્ટરી પાસે આવેલા એક રમકડાના ગોડાઉનમાં બપોરે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ઓફિસર સહિત બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તાત્કાલિક સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. ગોડાઉનમાં વિવિધ પ્રકારનાં રમકડાઓ અને સાધનો પડ્યાં હતાં. જેમાં બેટરીથી ચાલતાં પણ કેટલાંક રમકડાઓ હતાં. તેમાં આગના કારણે એક-બે બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેથી ત્રણ જેટલા ફાયર કર્મચારીઓ ઉપર બેટરીનું પાણી ઊડ્યું હતું જેથી તેઓ દાઝી ગયા હતા.

બે વ્યક્તિને રેસ્ક્યૂ કરાયા
ત્રણેય ફાયર કર્મીને તાત્કાલિક સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ગોડાઉનમાં આગ ખૂબ જ વિકરાળ હોવાના કારણે આસપાસ સુધી ન ફેલાય તેને ધ્યાનમાં રાખી અને બાજુમાં આવેલ અલગ અલગ દુકાનો અને ગોડાઉનને ખાલી કરાવવામાં આવ્યાં હતાં. બે જેટલા લોકોને સીડી વડે ધાબા ઉપરથી નીચે રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને હાલ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આગ લાગતા પાંચ લોકો ધાબે ચડી ગયા હતા
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રમકડાના ગોડાઉનમાં કામ કરતાં પાંચ જેટલા લોકો જેઓ આગ લાગતા ધાબા ઉપર ચડી ગયા હતા. તેઓને ધાબા ઉપરથી સીડી વડે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આગ હાલ કાબૂમાં આવી ગઈ છે. ગોડાઉનમાં જે પણ માલસામાન બળીને ખાક થયો છે તેમાં કૂલિંગ કરવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. ફાયરબ્રિગેડના જવાનો સિવાય અન્ય કોઈ વ્યક્તિઓને ઈજા થઈ નથી.


Spread the love

Related posts

મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાકોર, સિધ્ધી વિનાયક, ગળતેશ્વર અને મીનાવાડા યાત્રા પર લઈ જવાયા

Team News Updates

Kheda:ગળતેશ્વરમાં ડૂબ્યા અમદાવાદના ચાર મિત્રો: એકનો જીવ બચાવાયો,ત્રણના મૃતદેહો સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા

Team News Updates

Ahmedabad:જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી,બાળકો કૃષ્ણ-રાધાના રંગે રંગાયા,મણીનગરની દિવાન બલ્લુભાઈ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં

Team News Updates