News Updates
EXCLUSIVEGUJARATRAJKOT

RAJKOTમાં SHIMLA અને MANAL જેવો માહોલ, રોડ રસ્તા પર બરફની ચાદર જોવા મળી

Spread the love

રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજકોટના અનેક તાલુકાઓમાં કરા સાથે વરસાદ પજ્યો હતો. કરા સાથે ભારે વરસાદ પડતા રોડ રસ્તાઓ પર બરફની સફેદ ચાદર છવાઈ હતી. હાલ રાજકોટના અનેક જિલ્લાઓમાં મનાલી જેવો માહોલ સર્જાયો છે.

રાજકોટ: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે કમોસમી વરસાદ પડ્યો છે. હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.તેવામાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કરા સાથે વરસાદ પડતા સ્થાનિકો મુંઝાયા હતા. કરાનો વરસાદ થતા શહેર સહિત અનેક ગામોમાં મનાલી જેવો માહોલ સર્જાયો હતો.

રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.રાજકોટ પડધરીના ન્યારા ગામમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો.કરા પડવાના કારણે ન્યારા ગામમાં ખેડૂતોએ કરેલા ઘાણા સહિતના ઉભા પાકમાં નુકસાની જોવા મળી રહી છે.હાલ ન્યારા ગામના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

રાજકોટના વેપારી ઇબ્રાહિમ સોનીએ જણાવ્યું હતું કે,વહેલી સવારથી પડેતા કમોસમી વરસાદ અને કરાને કારણે રાજકોટના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે સાથે અગામી 3 દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જો સતત વરસાદ ચાલુ રહેશે તો, સામાનની કિંમતોમાં વધારો થઈ શકે છે. જેના કારણે લોકોને મોંધવારીનો માર સહન કરવો પડશે.

કમોસમી વરસાદને લઈ , લેબ ટેક્નિશિયન,પ્રશાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે,શિયાળાની ઋતુ વચ્ચે પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યમાં અનેક મચ્છરજન્ય રોગ ફાટી નીકળવાની સંભાવના સર્જાઈ છે.

આવી ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને હાથીપગા જેવા રોગોમાં વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વરસાદી માહોલને લઈ મનપા દ્વારા લોકોને મચ્છર જન્ય રોગથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે. સાથે સાથે મનપા દ્વારા મચ્છરોના ઉપદ્રવને અટકાવવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે.


Spread the love

Related posts

શ્રાવણ માસમાં આસ્થા સાથે ચેડાં!:ભારત બેકરીમાં એગલેસનાં નામે ઈંડાવાળી કેક વેંચાતી હોવાની આશંકા, ઘઉંના નામે મેંદાયુક્ત બ્રેડ, 140 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

Team News Updates

પંજાબમાં ‘ગતકા’ કરતી સમયે યુવકને લાગી આગ, VIDEO:યુદ્ધ અભ્યાસ માટે પેટ્રોલથી સર્કલ બનાવી રહ્યો હતો; જોવા માટે ઊભેલાં લોકોમાં ભાગદોડ મચી

Team News Updates

સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર:પટના, કોલકતા અને નાગપુર જવા માટે ટ્રેન કનેક્ટિવિટી સરળતાથી મળશે, 6 એક્સપ્રેસ ટ્રેનોને અમદાવાદના બદલે રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય

Team News Updates