News Updates
ENTERTAINMENT

લગ્નના 25 વર્ષ બાદ અભિનેતાએ લગ્નની નોંધણી કરાવી, આ કારણ જણાવ્યું

Spread the love

અરશદ અને મારિયાના લગ્નને 25 વર્ષ થયા છે. બંનેએ 14 ફેબ્રુઆરી 1999ના રોજ વેલેન્ટાઈન ડે પર લગ્ન કર્યા હતા.બંનેએ અત્યાર સુધી પોતાના લગ્નની નોંધણી કરાવી ન હતી. જો કે હવે 25 વર્ષ બાદ આ કપલે તેમના લગ્નની નોંધણી કરાવી છે.

અરશદ વારસી પોતાની પર્સનલ લાઈફ વિશે ખુબ જ ઓછી વાત કરે છે. આ વર્ષે તેના લગ્નને 25 વર્ષ પુરા થવાના છે. આ તકે અરશદ વારસીએ પોતાની પત્નીને વેલેન્ટાઈન ડે પર ખાસ ગિફટ આપી છે. તેમણે લગ્નના આટલા વર્ષો બાદ પોતાના લગ્નને રજીસ્ટ્રેડ કરાવ્યા છે.

મુન્નાભાઈ એમબીબીએસ,ધમાલ, ગોલમાલ જેવી ફિલ્મોમાં જોવા મળેલા અરશદ વારસીએ વર્ષ 1999માં મારિયા ગોરેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.

આ વર્ષે લગ્નના 25 વર્ષ પૂર્ણ થશે. વેલેન્ટાઈન પર કપલે એક-બીજાને સ્પેશિયલ ગિફટ આપશે. હાલમાં એક ઈન્ટરવ્યુમાં અરશદ વારસીએ કહ્યું કે, 25 વર્ષ સુધી લગ્નને રજીસ્ટ્રેડ કરાવ્યા ન હતા.

અરશદ વારસીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, પોતાના લગ્નની તારીખથી નફરત છે. તેના લગ્નની તારીખ 14 ફેબ્રુઆરી છે.અરશદ વારસીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાને જજ કરતા જોવા મળી રહ્યા છે.


Spread the love

Related posts

અભિનેત્રી પ્રિયમણીએ કહ્યું, ‘ઓનસ્ક્રીન ક્યારેય કિસ નહીં કરે’:કહ્યું, ‘પતિને જવાબ આપવો પડશે, સાસરી પક્ષનું સન્માન જાળવવું જોઈએ’

Team News Updates

એશિયા કપ જીત્યા પછી કેપ્ટન રોહિત ડાન્સ કરતો જોવા મળ્યો:વિરાટ, બુમરાહ, હાર્દિક એરપોર્ટ પર દેખાયા; ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી

Team News Updates

શું હવે વિરાટ-રોહિત યુગમાંથી આગળ વધવાનો સમય આવ્યો છે:બંનેની કેપ્ટનશિપમાં ICCની 6 ટૂર્નામેન્ટ રમ્યા, એક પણ ટ્રોફી જીતી શક્યા નથી

Team News Updates