News Updates
AMRELI

બસગર-જેતપુર હાઇવે પર જતી ખાનગી બસના ડ્રાઇવરે બેલેન્સ ગુમાવ્યું,35 મુસાફર ભરેલી બસે ગુલાંટ મારી; બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત, 16થી વધુ ઘાયલ

Spread the love

અમરેલી જિલ્લાના બગસરા-જેતપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ જતી ખાનગી બસના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઇ ગઇ હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 16થી વધુ લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ બસમાં કુલ 35 લોકો સવાર હતા અને એ કંકુપગલાના પ્રસંગમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા.

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ અમરેલીથી 35 મુસાફરો ભરી શ્યામ ટ્રાવેલ્સની બસ વિસાવદર તરફ જઇ રહી હતી, ત્યારે બગસરા-જેતપુર હાઇવે પર બગસરા શહેરથી ત્રણ કિલોમીટર દુર બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ પલટી ગઇ હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 16થી વધુ લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના સમયે જૂનાગઢ અને અમરેલી ઇલેક્શન ઓબ્ઝર્વર આઇપીએસ અધિકારી નઝીમ ભાસીન અહીંથી પસાર થઇ રહ્યા હતા. જેમણે તાત્કાલિક ગાડી ઉભી રાખી કેટલાક વધુ ઇજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર મળે તે માટે તુરંત હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ બગસરા પી.આઈ.કે.બી.જાડેજાએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

સ્થાનિકો અને પોલીસ તંત્રએ ઇજાગ્રસ્ત લોકોને 108 અન્ય એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ, બગસરા અને અમરેલીની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો, જેને પોલીસે ખુલ્લો કરાવીને અકસ્માત સર્જનાર ડ્રાઇવરને રાઉડપ કર્યો હતો. મળતી માહિતી મુજહ આ બસમાં સવાર લોકો કંકુપગલાના પ્રસંગમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જેમાં 60 વર્ષીય ગીતાબેન હસમુખભાઈ અને આરતીબેન હિરેનભાઈનો સમાવેશ થાય છે અને બાળકો, મહિલાઓ, યુવાનો સહિત 16 જેટલા લોકોને નાના મોટી ઇજાઓ પહોંચી છે.


Spread the love

Related posts

50 લાખ ઉપરાંતના વાહનો જપ્ત કર્યા ટ્રેક્ટર અને ડમ્પર સહિત, શેત્રુંજી નદીના પટમાં રેતીની ચોરી કરતાં રેડ ખાણ ખનીજ વિભાગની

Team News Updates

બીજી હત્યા  5 દિવસમાં અમરેલીમાં:ગળું દબાવી હત્યા કરી હોવાનો ગુનો નોંધાયો,રાજુલામાં યુવકની નગ્ન હાલતમાં લાશ મળવાનો મામલો

Team News Updates

સાંસદ નારણ કાછડિયાએ કહ્યું- વનવિભાગનું એકપણ વૃક્ષ ઉછરતું નથી, મુળુ બેરાએ ટ્વિટ કરી લખ્યું – પાંચ વર્ષમાં 1.94 લાખ વૃક્ષો ઉછર્યા’

Team News Updates