News Updates
AMRELI

Amreli :જગતના તાતની મહેનત બળીને ખાખ,દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ

Spread the love

અમરેલીના દેવળકી ગામે 5 વિઘાના ઘઉંના ખેતરમાં આગ લગાવાની ઘટના બની છે. ખેતરમાં વીજળીના પોલમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનો ખેડૂતનો દાવો છે. જેમાં ખેડૂતોની મહેનત બળીને ખાખ થઈ ગઈ છે.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમરેલીમાં પણ ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. અમરેલીના દેવળકી ગામે 5 વિઘાના ઘઉંના ખેતરમાં આગ લગાવાની ઘટના બની છે. ખેતરમાં વીજળીના પોલમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનો ખેડૂતનો દાવો છે. જેમાં ખેડૂતોની મહેનત બળીને ખાખ થઈ ગઈ છે. ખેતરમાં આગ લાગતા તમામ પાક સળગી જતાં ખેડૂતને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

બીજી તરફ રાજકોટના જેતપુરમાં ઘઉં નદીમાં ઢોળાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના કેરાળી ગામમાં ખેડૂત ખેતરમાંથી ઘઉં ટ્રેકટરમાં ભરીને લઈ આવતા હતા. ત્યારે અચાનક પુલ બેસી જતા ટ્રેકટર અને ઘઉં બધુ નદીમાં પડ્યુ હતુ. જો કે સદનસીબે જાનહાનિ થઈ નથી. પરંતુ ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


Spread the love

Related posts

સાંસદ નારણ કાછડિયાએ કહ્યું- વનવિભાગનું એકપણ વૃક્ષ ઉછરતું નથી, મુળુ બેરાએ ટ્વિટ કરી લખ્યું – પાંચ વર્ષમાં 1.94 લાખ વૃક્ષો ઉછર્યા’

Team News Updates

બીજી હત્યા  5 દિવસમાં અમરેલીમાં:ગળું દબાવી હત્યા કરી હોવાનો ગુનો નોંધાયો,રાજુલામાં યુવકની નગ્ન હાલતમાં લાશ મળવાનો મામલો

Team News Updates

કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ:લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો, અનેક નદીઓ ગાંડીતૂર, સવા પાંચ ઇંચથી જામનગર પાણી પાણી

Team News Updates