News Updates
AMRELI

Amreli :જગતના તાતની મહેનત બળીને ખાખ,દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ

Spread the love

અમરેલીના દેવળકી ગામે 5 વિઘાના ઘઉંના ખેતરમાં આગ લગાવાની ઘટના બની છે. ખેતરમાં વીજળીના પોલમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનો ખેડૂતનો દાવો છે. જેમાં ખેડૂતોની મહેનત બળીને ખાખ થઈ ગઈ છે.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમરેલીમાં પણ ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. અમરેલીના દેવળકી ગામે 5 વિઘાના ઘઉંના ખેતરમાં આગ લગાવાની ઘટના બની છે. ખેતરમાં વીજળીના પોલમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનો ખેડૂતનો દાવો છે. જેમાં ખેડૂતોની મહેનત બળીને ખાખ થઈ ગઈ છે. ખેતરમાં આગ લાગતા તમામ પાક સળગી જતાં ખેડૂતને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

બીજી તરફ રાજકોટના જેતપુરમાં ઘઉં નદીમાં ઢોળાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના કેરાળી ગામમાં ખેડૂત ખેતરમાંથી ઘઉં ટ્રેકટરમાં ભરીને લઈ આવતા હતા. ત્યારે અચાનક પુલ બેસી જતા ટ્રેકટર અને ઘઉં બધુ નદીમાં પડ્યુ હતુ. જો કે સદનસીબે જાનહાનિ થઈ નથી. પરંતુ ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


Spread the love

Related posts

સાંસદ નારણ કાછડિયાએ કહ્યું- વનવિભાગનું એકપણ વૃક્ષ ઉછરતું નથી, મુળુ બેરાએ ટ્વિટ કરી લખ્યું – પાંચ વર્ષમાં 1.94 લાખ વૃક્ષો ઉછર્યા’

Team News Updates

15 કલાકથી ગુમ બે ભાઇના અંતે મૃતદેહ મળ્યા:રાજુલામાં રમતાં-રમતાં બે ભાઈ ગાયબ થઈ ગયા, આખી રાતની શોધખોળ બાદ તળાવમાંથી બંનેની લાશ મળી, મોઢા પર ઇજાનાં નિશાન

Team News Updates

ઓરેન્જ એલર્ટ આજે વરસાદનું અમરેલીમાં: વડીયાના સુરવો ડેમમાં 4 ફૂટ નવા નીરની આવક

Team News Updates