News Updates
INTERNATIONAL

276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર સવાર હતા, પાકિસ્તાનમાં સાઉદી એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી,  પેશાવરમાં લોકોને ઈમર્જન્સી દરવાજાથી બહાર કાઢ્યા

Spread the love

પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ગુરુવારે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં આગ લાગી હતી. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.

તમામ મુસાફરો અને કેબિન ક્રૂ સભ્યોને ઈમર્જન્સી ગેટથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ફ્લાઈટ રિયાધથી પેશાવર આવી હતી. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના લેન્ડિંગ ગિયરમાં કોઈ ખામીને કારણે થઈ છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.


સાઉદી એરલાઈન્સ 792 276 મુસાફરોને લઈ જતી હતી. આ ઉપરાંત 21 ક્રૂ મેમ્બર હતા. એર ટ્રાફિક કંટ્રોલરના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ બાદ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ પછી પાઇલટને આ અંગે જાણ કરી હતી. આ સાથે ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસને પણ આ અંગે જાણ કરી હતી.

આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ આગ તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. પ્લેનમાંથી તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.


Spread the love

Related posts

Burj Khalifaમાં સામાન્ય લોકોને નથી મળતી ટોપ ફ્લોર પર જવાની પરવાનગી, શું તમે જાણો છો તેનું કારણ ?

Team News Updates

12 વર્ષ પછી FBI ડાયરેક્ટર આજે ભારત આવશે:આ અમેરિકન એજન્સીએ પન્નુની હત્યાના કાવતરાંના આરોપ લગાવ્યા હતા, જાણો ભારત આવવાનો હેતુ

Team News Updates

ગુજરાત છોડીને કેનેડા ગયા હવે બન્યા સેવક/કેનેડામાં મુશ્કેલી આવે તો ‘લતાબહેનને મળી લ્યો..’

Team News Updates