News Updates
INTERNATIONAL

276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર સવાર હતા, પાકિસ્તાનમાં સાઉદી એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી,  પેશાવરમાં લોકોને ઈમર્જન્સી દરવાજાથી બહાર કાઢ્યા

Spread the love

પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ગુરુવારે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં આગ લાગી હતી. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.

તમામ મુસાફરો અને કેબિન ક્રૂ સભ્યોને ઈમર્જન્સી ગેટથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ફ્લાઈટ રિયાધથી પેશાવર આવી હતી. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના લેન્ડિંગ ગિયરમાં કોઈ ખામીને કારણે થઈ છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.


સાઉદી એરલાઈન્સ 792 276 મુસાફરોને લઈ જતી હતી. આ ઉપરાંત 21 ક્રૂ મેમ્બર હતા. એર ટ્રાફિક કંટ્રોલરના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ બાદ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ પછી પાઇલટને આ અંગે જાણ કરી હતી. આ સાથે ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસને પણ આ અંગે જાણ કરી હતી.

આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ આગ તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. પ્લેનમાંથી તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.


Spread the love

Related posts

નિજ્જર મર્ડર કેસ પર અમેરિકામાં એસ જયશંકરની સ્પષ્ટ વાત, કેનેડા પુરાવા રજુ કરે

Team News Updates

પાવર પ્લાન્ટ ખરીદવા કવાયત:ભદ્રેશ્વરનો ફડચામાં ગયેલો પાવર પ્લાન્ટ ખરીદવા અદાણી – રિલાયન્સ રેસમાં

Team News Updates

ઇઝરાયલે ગાઝામાં ઘૂસીને ત્રીજા દિવસે પણ હુમલા કર્યા:UNએ યુદ્ધ રોકવાનો ઠરાવ પસાર કર્યો; ભારત સહિત 45 દેશે મતદાન કર્યું નહિ

Team News Updates