News Updates
INTERNATIONAL

276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર સવાર હતા, પાકિસ્તાનમાં સાઉદી એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી,  પેશાવરમાં લોકોને ઈમર્જન્સી દરવાજાથી બહાર કાઢ્યા

Spread the love

પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ગુરુવારે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં આગ લાગી હતી. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.

તમામ મુસાફરો અને કેબિન ક્રૂ સભ્યોને ઈમર્જન્સી ગેટથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ફ્લાઈટ રિયાધથી પેશાવર આવી હતી. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના લેન્ડિંગ ગિયરમાં કોઈ ખામીને કારણે થઈ છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.


સાઉદી એરલાઈન્સ 792 276 મુસાફરોને લઈ જતી હતી. આ ઉપરાંત 21 ક્રૂ મેમ્બર હતા. એર ટ્રાફિક કંટ્રોલરના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ બાદ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ પછી પાઇલટને આ અંગે જાણ કરી હતી. આ સાથે ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસને પણ આ અંગે જાણ કરી હતી.

આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ આગ તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. પ્લેનમાંથી તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.


Spread the love

Related posts

US અને બ્રિટને 6 દેશના સમર્થન સાથે યમન પર હુમલો કર્યો, હુતિ બળવાખોરનાં 36 ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યાં

Team News Updates

ભારતીય મૂળનાં PM ઋષિ સુનકનાં માથે લટકતી તલવાર:પેટાચૂંટણીમાં ફરી હારી સુનકની પાર્ટી, સતત હારનાં કારણે સામાન્ય ચૂંટણી પહેલાં જ 100 સાંસદો રાજીનામું આપશે

Team News Updates

સુરત ફાયર વિભાગ,જીપીસીબી,પોલીસ તેમજ ગેસ કંપનીના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઘટનામાં હજુ કોઈ સત્તવાર નિવેદન સામે આવ્યું નથી.

Team News Updates