News Updates
INTERNATIONAL

એસ જયશંકર વિદેશમંત્રી પાકિસ્તાન જશે:છેલ્લી વખત સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા, 15-16 ઓક્ટોબરે SCOની બેઠકમાં હાજરી આપશે

Spread the love

વિદેશમંત્રી એસ જયશંકર 15-16 ઓક્ટોબરે પાકિસ્તાન જશે. તેઓ ઇસ્લામાબાદમાં SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી છે. 9 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે.

વાસ્તવમાં પાકિસ્તાને 29 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મીટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે બેઠકમાં ભાગ લેવા માટે તમામ સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

તેના પર જયશંકરે કહ્યું હતું કે, “પાકિસ્તાન સાથે વાતચીતનો યુગ હવે પૂરો થઈ ગયો છે. દરેક વસ્તુનો સમય હોય છે, દરેક કામ વહેલા કે મોડેથી તેના અંત સુધી પહોંચે છે. જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરની વાત છે. તો હવે કલમ 370 સમાપ્ત થઈ ગઈ છે. તેનો અર્થ એ છે કે શા માટે આપણે પાકિસ્તાન સાથે કોઈપણ સંબંધ પર વિચાર કરવો જોઈએ.

વડાપ્રધાન મોદી છેલ્લે 2015માં સરપ્રાઈઝ વિઝિટ પર લાહોર ગયા હતા. ત્યારબાદ તેઓ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને મળ્યા હતા. આ પછી ડિસેમ્બર 2015માં ભારતના તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

તેમની મુલાકાત બાદ ભારતના કોઈ વડાપ્રધાન કે મંત્રી પાકિસ્તાન ગયા નથી. 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ત્યારપછી બંને દેશો વચ્ચે કોઈ ઉચ્ચ સ્તરીય બેઠક થઈ નથી.


Spread the love

Related posts

ગુજરાતી દીકરીનો અમેરિકામાં ડંકો:વડોદરાની દેવાંશીએ મિસ ઇન્ટરનેશનલ અમેરિકાનો ખિતાબ જીત્યો, કહ્યું: ‘હું ગુજરાતી છું એ જ મારો સુપર પાવર છે’

Team News Updates

ભારતીય કોસ્ટ ગાર્ડે ચીની નાગરિકનો જીવ બચાવ્યો:અરબી સમુદ્રમાં કાર્ડિયાક અરેસ્ટની ફરિયાદના આધારે ખરાબ હવામાનમાં બચાવ કામગીરી હાથ ધરાઈ, એરલિફ્ટ કરાયો

Team News Updates

ઈઝરાયેલના હુમલામાં 25 પેલેસ્ટાઈનનાં મોત:ઇસ્લામિક જેહાદના ટોચના મિસાઇલ કમાન્ડરનું મોત, આતંકવાદીઓએ ઇઝરાયેલ પર 507 રોકેટ છોડ્યા

Team News Updates