News Updates
EXCLUSIVERAJKOT

ચેતજો RAJKOT!!: ઉનાળામાં કંઈપણ પિતા પહેલા જરા તપાસજો, રાજકોટની બજારમાં વગર લાઈસન્સે ધીકતા ધંધા શરુ…

Spread the love

ઉનાળામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સૌ કોઈ ઠંડા-પીણા પીને ગરમીથી રાહત મેળવતા હોય છે ત્યારે તકવાદીઓ દ્વારા ફૂડ લાઈસન્સ વિના ધીકતા હાટડાઓ કેટલા યોગ્ય??: કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગને સતર્ક થવાની જરૂર

તા.૪,રાજકોટ: હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરુ થઇ ચુકી છે ત્યારે બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધીના સૌ કોઈ ઠંડા -પીણા દ્વારા ગરમીથી રાહત મેળવતા હોય છે ત્યારે અમુક તકવાદીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં પીછેહઠ કરતા નથી અને સરકારનાં આરોગ્ય અને ફૂડ વિભાગનાં નિયમોને નેવે મુકીને પોતાના ખિસ્સા ભરવામાં મશગુલ થઇ જાય છે.

ભારતમાં કોઈપણ પ્રકારનાં ખાધ-ખોરાકનાં વેચાણ કે ઉત્પાદન માટે FSSAI નોંધણી અથવા લાયસન્સ ભારતમાં ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, ડિપોઝિટરી, પરિવહન અને વિતરણમાં રોકાયેલા તમામ ફૂડ બિઝનેસ એડમિનિસ્ટ્રેટર્સ માટે જરૂરી છે.છતાં અમુક લોકો આવા લાયસન્સ લીધા વિના જ પોતાના હાટડાઓ ખુલ્લા મુકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઝડપાઈ છે.

ત્યારે હાલમાં રાજકોટનાં બજારમાં એક ઠંડા-પીણાએ ધૂમ મચાવી છે. પીળા રંગનાં સ્ટીકર સાથે બોટલ પેકિંગમાં આવતું આ કંપનીનું ઠંડા-પીણું લીંબુ સોડા અને લીંબુ સરબત એમ બંને ફ્લેવરમાં માર્કેટમાં વેંચાઈ રહ્યું છે. આ પીણું ખરીદીને પિતા પહેલા ચેતજો.કેમકે આ પીણાનાં ઉત્પાદકોએ કોઈપન પ્રકારનાં fssai લાઈસન્સ કે અન્ય કોઈ પ્રકારનાં લાયસન્સ લીધા વિના જ વેંચાણ શરુ કરી દીધું છે. આ પીણું પીવાથી રાજકોટનાં લોકોનું આરોગ્ય જોખમાઈ તો જવાબદાર કોણ ?? એ પણ વિકટ પ્રશ્ન ઉપજી રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાને તપાસ કરી કડક પગલાં લેશે ખરું??

શું વાર-તહેવારે નાના ધંધાર્થીઓને ત્યાંથી ખોરાકનાં નમુના લઈને તેને દંડ કરતુ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય ને ફૂડ વિભાગનું તંત્ર આ ઉત્પાદકનાં ઉત્પાદન સ્થળ સુધી પહોંચી કોઈ પ્રકારની કડક કાર્યવાહી દ્વારા રાજકોટનાં નગરજનોનાં આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવામાં ક્યારે સફળ થશે ??


Spread the love

Related posts

પૈસાની વહેંચણીમાં CCTVને જ ભૂલી ગયા!:રાજકોટમાં વાહનચાલકો પાસેથી ટ્રાફિક વોર્ડન પૈસાની ઊઘરાણી કરી કોન્સ્ટેબલને આપતા, વીડિયોથી ભાંડો ફૂટતા ACPએ સસ્પેન્ડ કર્યા

Team News Updates

સુરક્ષા કરતાં ફાયરના જ 100 જવાનો ભયના ઓથારમાં!:રાજકોટમાં ફાયર વિભાગની મુખ્ય કચેરી જ ખખડધજ, ઠેર ઠેર તિરાડો, ગેલેરીમાંથી પડે છે પોપડા, રૂમોમાં ભેજ લાગતા બાંધકામ નબળું પડ્યું

Team News Updates

અમદાવાદ પહોંચવા માટે સમય-ખર્ચ બચશે:રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક 116 કિલોમીટર એરિયાની કામગીરી પુર્ણ, PM મોદીના હસ્તે લોકાર્પણ થશે

Team News Updates