News Updates
NATIONAL

જ્ઞાનવાપીમાં મળેલા કથિત શિવલિંગનું કાર્બન ડેટિંગ નહીં થાય:સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો, કહ્યું- હાઇકોર્ટના આદેશનો અભ્યાસ કરવો પડશે

Spread the love

સુપ્રીમ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન ડેટિંગના આદેશ પર રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુકતા કોર્ટે કહ્યું- આ મામલે સંભાળીને ચાલવાની જરૂર છે. હાઈકોર્ટના આદેશનો અભ્યાસ કરવો પડશે.

હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટી વતી એડવોકેટ હુઝેફા અહમદી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિહા અને જેબી પારડીવાલાની બેન્ચે તેની સુનાવણી કરી હતી. હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી દીધી છે.

12 મેના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વેનો આદેશ આપ્યો હતો.

જ્ઞાનવાપી સંબંધિત 7 કેસની પણ સુનાવણી થશે
વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી સંબંધિત સાત કેસની એક સાથે સુનાવણી માટે અરજી પર પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન કેસોની સુનાવણીનો સમયપત્રક નક્કી કરવામાં આવશે. આ સિવાય રાખી સિંહ અને અન્ય ચાર મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલા મા શ્રૃંગાર ગૌરી કેસમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. પક્ષકાર નીરજ શેખર સક્સેનાના અવસાન પર તેમના સ્થાને નવા અનુગામીની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી હતી.

જ્ઞાનવાપી પરિસર કેસને લગતા સાત કેસની સુનાવણી અંગેની અરજીની સુનાવણી જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વેશ કરશે. ન્યાયાધીશે હિન્દુ પક્ષના તમામ અરજદારોને જિલ્લા અને સેશન કોર્ટમાં બોલાવ્યા છે.

જ્ઞાનવાપી શૃંગાર ગૌરી કેસમાં ચાર મહિલા અરજદારો વતી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપીને લગતા સાત કેસ ઘણી કોર્ટમાં ચાલી રહ્યા છે, તમામ કેસ સમાન છે.

તમામ કેસોમાં મા શૃંગાર ગૌરીના દર્શન-પૂજનની માગ કરવામાં આવી છે, તેથી તમામ કેસની સુનાવણી એક જ કોર્ટમાં થવી જોઈએ. રાખી સિંહ વતી એડવોકેટ શિવમ ગૌર, અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વતી રમેશ ઉપાધ્યાય અને અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી વતી રઈસ અહેમદ દલીલો રજૂ કરશે.

17મી એપ્રિલે એક સાથે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે
અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સાથે સંબંધિત એક જ પ્રકૃતિની 7 અરજીઓની એકસાથે સુનાવણી કરવાના મામલે આદેશ આપ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, જ્ઞાનવાપી સંબંધિત શ્રૃંગાર ગૌરી કેસની મહિલા વકીલોએ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી આપી હતી, જેમાં એક જ કોર્ટમાં એકસાથે 7 કેસોની સુનાવણીની માગ કરવામાં આવી હતી.

જેમાં 6 સિવિલ જજ સિનિયર અને 1 કેસ કિરણ સિંહની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો હતો. આના પર જિલ્લા ન્યાયાધીશની કોર્ટે 17 એપ્રિલના રોજ આદેશ આપ્યો હતો અને હવે જિલ્લા ન્યાયાધીશે એકસાથે તમામ કેસોની સુનાવણી માટે શેડ્યૂલ નક્કી કરવાનું છે.

મા શૃંગાર ગૌરી કેસમાં ઉત્તરાધિકાર પર સુનાવણી
રાખી સિંહ સહિત અન્ય ચાર મહિલાઓ તરફથી દાખલ કરવામાં આવેલા મા શૃંગાર ગૌરી કેસમાં શુક્રવારે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં પણ સુનાવણી થવાની છે. કેસના એક પક્ષકાર રામ પ્રસાદ સિંહે અન્ય પક્ષકાર નીરજ શેખર સક્સેનાના મૃત્યુ (4 ફેબ્રુઆરી 2022)ને ટાંકીને વકીલ મારફતે અરજી કરી હતી. કોર્ટમાં જે સાત કેસોની સુનાવણી થવાની છે તેમાંથી આ પણ એક છે.


Spread the love

Related posts

Elon Musk એ ડ્રાઈવર સાથે કાર મોકલી અવકાશમાં,જાણો હવે શું છે તેના હાલ?

Team News Updates

મોદીએ ગુજરાતને આપી 4400 કરોડની ભેટ:કહ્યું- PM આવાસ યોજનાથી બીજેપીએ દેશની કરોડો બહેનોને લાખોપતિ દીદી બનાવી, શિક્ષકોને પણ સમજાવ્યા

Team News Updates

 જાલનામાં મરાઠા આરક્ષણ આંદોલને લીધું હિંસાનું સ્વરૂપ, બસને સળગાવી, કર્ફ્યુ લાગુ કરાયો

Team News Updates