News Updates
GUJARAT

જસદણ ન્યાયાલય ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો…

Spread the love

જસદણ ન્યાયાલય ખાતે તારીખ ૫ જૂન ના રોજ ” વિશ્વ પર્યાવરણ દિન ” નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. જેમાં જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી કે.એન.દવે સાહેબ તેમજ નામદાર મહેરબાન એડિશનલ સિવિલ જજ શ્રી વી.એ.ઠક્કર સાહેબ તથા રજીસ્ટાર શ્રી એમ.બી પંડ્યા સાહેબ તથા જસદણ કોર્ટના તમામ સ્ટાફગણ તેમજ જસદણ કોર્ટના સિનિયર એડવોકેટશ્રી આર.એસ.નાગાણી સાહેબ, નદીમભાઈ ધંધુકિયા, જગદીશભાઈ રોજાસરા તેમજ જસદણ બારના વકીલ સાહેબશ્રીઓએ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધેલ. આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જસદણ કોર્ટ કમ્પાઉન્ડમાં જ કરવામાં આવેલ અને બંને નામદાર મહેરબાન જજ સાહેબો દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તેમજ વૃક્ષોના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.જે જસદણના કોર્ટના એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.

(જસદણ)


Spread the love

Related posts

Jamnagar: CCTV, આંતક આખલાનો  એક વૃદ્ધને અડફેટે લઈ પછાડી દીધા, નાઘેડી પાસે આખલાએ,જમીન પર પડકાતાં વૃદ્ધને ઈજા પહોંચી

Team News Updates

ગુજરાતમાં વાવાઝોડું ટળશે પણ વરસાદ તો આવશે જ:બિપરજોય સાઇક્લોન પોરબંદરથી 965 કિલોમીટર જ દૂર, માંગરોળના દરિયામાં કરંટ, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

Team News Updates

ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ નહીં:રાજસ્થાનમાં સક્રિય થયેલા સર્ક્યુલેશનની અસર ગુજરાતને થશે, આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Team News Updates