News Updates
GUJARAT

જસદણ ન્યાયાલય ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો…

Spread the love

જસદણ ન્યાયાલય ખાતે તારીખ ૫ જૂન ના રોજ ” વિશ્વ પર્યાવરણ દિન ” નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. જેમાં જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી કે.એન.દવે સાહેબ તેમજ નામદાર મહેરબાન એડિશનલ સિવિલ જજ શ્રી વી.એ.ઠક્કર સાહેબ તથા રજીસ્ટાર શ્રી એમ.બી પંડ્યા સાહેબ તથા જસદણ કોર્ટના તમામ સ્ટાફગણ તેમજ જસદણ કોર્ટના સિનિયર એડવોકેટશ્રી આર.એસ.નાગાણી સાહેબ, નદીમભાઈ ધંધુકિયા, જગદીશભાઈ રોજાસરા તેમજ જસદણ બારના વકીલ સાહેબશ્રીઓએ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધેલ. આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જસદણ કોર્ટ કમ્પાઉન્ડમાં જ કરવામાં આવેલ અને બંને નામદાર મહેરબાન જજ સાહેબો દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તેમજ વૃક્ષોના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.જે જસદણના કોર્ટના એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.

(જસદણ)


Spread the love

Related posts

મહેસાણા જીલ્લાના ઊંઝામાં આવેલું છે ગણપતિનું અનોખું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે કથા

Team News Updates

Navsari: શિકારની શોધમાં અવ્યો અને વન વિભાગના પાંજરામાં પુરાઇ ગયો,ચીખલીના સાદકપોર ગામમાંથી દીપડો પાંજરે પુરાયો 

Team News Updates

બીપરજોય વાવાઝોડા માંથી રાજ્ય સકુશળ બહાર આવતા પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ગુજરાત સરકાર વતી સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું

Team News Updates