News Updates
ENTERTAINMENT

ધર્મેન્દ્રએ જણાવ્યું કેવી રીતે પૌત્રએ મંગેતર સાથે મુલાકાત કરાવી:કહ્યું, ‘કરને પહેલાં માતા સાથે આ વાત શેર કરી, બાદમાં મને અને સનીને આ અંગે જણાવ્યું’

Spread the love

બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્રના જુહુના બંગલાને તેમના પૌત્ર અને સની દેઓલના પુત્ર કરન દેઓલના લગ્ન માટે આ દિવસોમાં ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. ચર્ચા છે કે કરન તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે 16 થી 18 જૂન વચ્ચે લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે એક ઇન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રએ જણાવ્યું કે ‘કેવી રીતે કરને તેની મંગેતર દિશાનો ઘરે પરિચય કરાવ્યો હતો. દ્રિશા આચાર્ય દિગ્ગજ ડિરેક્ટર બિમલ રોયની પૌત્રી છે.’

કરનને જીવનસાથી મળતા આનંદ થયો
‘ઈ ટાઈમ્સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રએ કહ્યું, ‘અમારા ઘરમાં ઘણા સમય પછી લગ્નનું ફંક્શન છે. કરન ખૂબ જ પ્રેમાળબાળક છે. તે ખૂબ જ કેરિંગ પણ છે. તે વિચારવું સારું છે કે તેમને જીવનસાથી મળી ગઈ છે.

દ્રિશા ખુબ જ સેન્સિબલ છે
બીજી તરફ જ્યારે ધર્મેન્દ્રને પૂછવામાં આવ્યું કે તેને કરન અને દ્રિશાના પ્રેમ વિશે કેવી રીતે ખબર પડી તો તેણે કહ્યું, ‘પતા તો ચલ હી જાતા હૈ’. પણ હા, કરને આ વાત સૌથી પહેલા તેમની માતા (સની દેઓલની પત્ની પૂજા)ને કહી. પછી તેણે સની અને મને તેના વિશે જણાવ્યું.

દ્રિશા ખૂબ જ સંવેદનશીલ છે
ધર્મેન્દ્રએ આગળ કહ્યું, ‘આ વિશે કહ્યા પછી મેં કહ્યું કે જો કરન તેને પસંદ કરે છે તો આગળ વધો. તે પછી હું દ્રિશાને મળ્યો. હું તેને પહેલીવાર અમારા ઘરે મળ્યો હતો. તે ખૂબ જ સુંદર અને સંવેદનશીલ છે. હું આ બંને માટે ખૂબ જ ખુશ છું.

જો રિપોર્ટ્સનું માનીએ તો દેઓલ પરિવાર 18 જૂને મુંબઈના બાંદ્રામાં તાજ લેન્ડ એન્ડમાં રિસેપ્શનનું આયોજન કરશે. આ પ્રસંગે બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ પોતાની હાજરી નોંધાવશે.


Spread the love

Related posts

રિઝર્વ ડે પર પણ વરસાદ વિલનના રોલમાં:એમ્પાયરે મેદાનનું નિરિક્ષણ કરવાનું શરૂ કર્યું, હાલ વરસાદ ઓછો થતા ટૂંક સમયમાં મેચ શરૂ થઈ શકે

Team News Updates

PICNIC ON BORDER ON THESE VACATION :અમદાવાદથી 225 કિ.મી દૂર 2.69 કરોડના ખર્ચે ઇકો ટૂરિઝમ સેન્ટર તૈયાર, રહેવા-જમવાની સાથે પ્રાકૃતિક સૌંદર્યની મજા માણી શકશે

Team News Updates

રાજ કપૂર અને પ્રેમ ચોપરા છે સાઢુ ભાઈ, ચોપરા પરિવારનું કરિના કપુર સાથે છે ખાસ કનેક્શન ચોપરા પરિવારનો નાનો જમાઈ છે ગુજરાતી

Team News Updates