News Updates
GUJARAT

ભગવાનને મંદિરમાંથી બહાર લાવવાની તૈયારી શરૂ, 25 લાખ લોકો ઊમટવાની શક્યતા પુરીમાં રથયાત્રા શરૂ, ભગવાન 28 જૂને મંદિરમાં પરત ફરશે

Spread the love

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંગળવારે બપોરે શરૂ થશે. આ પહેલાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી, ખીચડી ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ રથનું પૂજન કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં બલભદ્ર, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન છે.

સૌ પ્રથમ બલભદ્રને મંદિરની બહાર લાવી રથમાં બેસાડવામાં આવ્યા. હવે સુભદ્રાને મંદિરમાંથી બહાર લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પછી ભગવાન જગન્નાથને મંદિરની બહાર રથમાં બિરાજમાન કરવામાં આવશે. આ સમગ્ર વિધિ બપોર સુધી ચાલશે.

આ રથયાત્રા મંદિરથી ગુંડીચા મંદિર સુધી લગભગ અઢીથી ત્રણ કિમી દૂર જાય છે. જે તેમના માસીનું ઘર હોવાનું મનાય છે. આ રથયાત્રામાં લગભગ 25 લાખ લોકો આવવાની આશા છે. તેમને ગુંડિચા યાત્રા પણ કહેવામાં આવે છે.

પાછળ ભગવાન જગન્નાથનો રથ
પરંપરાના કારણે ભગવાન બલભદ્રનો રથ પહેલા રહે છે. તે લગભગ 45 ફૂટ ઊંચું અને લાલ અને લીલા રંગનું છે. તેમાં 14 પૈડાં છે. જેનું નામ ‘તાલધ્વજ’ છે. તેની પાછળ સુભદ્રાનો ‘દેવદલન’ નામનો 44 ફૂટ ઊંચો લાલ અને કાળો રથ છે. તેમાં 12 પૈડાં છે. અંતમાં ભગવાન જગન્નાથનો રથ હશે. તેનું નામ ‘નંદીઘોષ’ છે. જેનો રંગ પીળો છે અને લગભગ 45 ફૂટ ઉંચો છે. તેમના રથમાં 16 પૈડાં છે. તેને સજાવવા માટે લગભગ 1100 મીટર કાપડની જરૂર પડે છે.

ભગવાન 28 જૂને મંદિરમાં પરત ફરશે
ભગવાન જગન્નાથ આજે સાંજે લગભગ 6 વાગ્યા સુધીમાં ગુંડીચા મંદિર પહોંચે તેવી શક્યતા છે. ત્યાં ભગવાન તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે 7 દિવસ રોકાશે. આ પછી, પંચાંગ અનુસાર, તેઓ અષાઢ મહિનાની શુક્લ પક્ષની દસમી તારીખે એટલે કે 28 જૂને મંદિરમાં પાછા ફરશે. મંદિર સુધીની આ યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે.


Spread the love

Related posts

નાસ્તો હોય કે રાત્રિભોજન… કેટલી વાર ચાવવો ખોરાકનો એક ટુકડો

Team News Updates

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગ્રામ પંચાયતમાં 77માં સ્વાતંત્રદિન નિમિત્તે પસનાલ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો

Team News Updates

હાથ પકડીને સૌ નાહતા હતા ને અચાનક ડૂબ્યા,ભાગવત્ કથા પૂર્ણ કરી નદીમાં નાહવા આવ્યા હતા:પિતા, 2 પુત્ર સહિત 7 સંબંધીઓ નર્મદામાં ગરકાવ

Team News Updates