News Updates
ENTERTAINMENT

શ્રીલંકામાં યોજાઈ રહેલા એશિયા કપને લઈને ઝકા અશરફ નારાજ:PCB અધ્યક્ષ પદના દાવેદાર અશરફે કહ્યું- હાઈબ્રિડ મોડલ પાકિસ્તાનને નુકસાન કરે છે

Spread the love

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં અધ્યક્ષ પદના પ્રબળ દાવેદાર ઝકા અશરફે શ્રીલંકામાં યોજાઈ રહેલા એશિયા કપને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હાઇબ્રિડ મોડલ પાકિસ્તાનને નુકસાન પહોંચાડશે. અગાઉના મેનેજમેન્ટે આખી ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં જ યોજવાનો આગ્રહ રાખવો જોઈતો હતો.

પાકિસ્તાન સરકારે ઝકા અશરફને PCB અધ્યક્ષ પદ માટે દાવેદાર બનાવ્યા છે. પીસીબીની ચૂંટણી આ અઠવાડિયે યોજાશે અને અહેવાલો અનુસાર અશરફ નવા અધ્યક્ષ બનશે.

‘પાકિસ્તાનને વધુ મેચ મળવી જોઈતી હતી’
અશરફે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘એશિયા કપનું હાઇબ્રિડ મોડલ પાકિસ્તાન માટે કોઈપણ રીતે ફાયદાકારક નથી. યજમાન તરીકે પીસીબીએ આઈસીસી અને બીસીસીઆઈ સમક્ષ પોતાનો મામલો મજબૂત રીતે રજૂ કરવો જોઈતો હતો. શ્રીલંકામાં 9 અને પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમવી બોર્ડ માટે નુકસાનકારક સાબિત થશે.

એશિયા કપમાં 6 ટીમ ભાગ લેશે. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે. જ્યારે ગ્રુપ-બીમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે.

‘નિર્ણય લેવામાં આવ્યો છે, તો હવે તેને બદલવો ન જોઈએ’
ઝાકાએ ફરી કહ્યું કે ICC અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ સંયુક્ત રીતે એશિયા કપને હાઇબ્રિડ મોડલમાં યોજવાનો નિર્ણય લીધો છે. અગાઉનું મેનેજમેન્ટ પણ આના પર સહમત હતું, તેથી તે નિર્ણયનું સન્માન કરશે અને છેલ્લી ક્ષણે તેને પડકારવા માગતા નથી. પરંતુ આગળ જે પણ નિર્ણય લેવામાં આવશે તે દેશ અને બોર્ડના ફાયદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.

આખો એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો હતો
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પાકિસ્તાનને ભાવિ ટૂર શેડ્યૂલમાં 2023 એશિયા કપની યજમાનીના રાઈટ્સ આપ્યા હતા. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રાજકીય અને સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાનો ઇનકાર કર્યો હતો. પૂર્વ PCB અધ્યક્ષ નજમ સેઠીએ ફરીથી ACCમાં હાઇબ્રિડ મોડલનું સૂચન કર્યું હતું, જેને ACCએ મંજૂરી આપી હતી.

નવા મોડલમાં 4થી 5 મેચ પાકિસ્તાનમાં અને બાકીની શ્રીલંકામાં યોજાશે. ભારતની તમામ મેચ અને ફાઈનલ (જો ટીમ ઈન્ડિયા પહોંચે તો) સહિત 8થી 9 મેચ શ્રીલંકામાં યોજાશે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. વનડે વર્લ્ડ કપના એક મહિના પહેલા આયોજિત આ ટુર્નામેન્ટ 50 ઓવરની હશે. શ્રીલંકા ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને ભારતે 7 વખત ટ્રોફી જીતી છે.

નજમ સેઠીનો કાર્યકાળ સોમવારે પૂરો થયો
ડિસેમ્બર 2022માં, રમીઝ રાજાને PCB અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ નજમ સેઠીને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સોમવારે (20 જૂન) તેમણે તેમનું પદ પણ છોડી દીધું હતું, કારણ કે આ અઠવાડિયે યોજાનારી PCB ચૂંટણીમાં ઝકા અશરફ સાથે મુસ્તફા રામદેને નવા અધ્યક્ષના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જ્યારે સેઠીની ઉમેદવારી ફગાવી દેવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અશરફને સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને તેમને PCBના આગામી અધ્યક્ષ બનાવવામાં આવશે. તેઓ 2011થી 2013 સુધી PCBના અધ્યક્ષ પદ પર પણ રહી ચૂક્યા છે.

ભારત-પાકિસ્તાન 3 વખત ટકરાશે
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે જ્યારે ત્રીજી ટીમ નેપાળમાં છે. ભારત-પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં ટકરાયા બાદ સુપર-4 સ્ટેજમાં પણ આમને-સામને થઈ શકે છે, આ માટે બંનેએ ગ્રુપ સ્ટેજ પાર કરવું પડશે. સુપર-4 સ્ટેજની ટોપ-2 ટીમ ફાઈનલ રમશે, જો ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં પહોંચશે તો બંને ટીમ ટૂર્નામેન્ટમાં 3 વખત લડતી જોવા મળશે.


Spread the love

Related posts

ભારતની વર્લ્ડ કપની જર્સી લોન્ચ:ખભા પર તિરંગાનો રંગ; રોહિત-કોહલી ‘તીન કા ડ્રીમ’ થીમ સોંગમાં પણ જોવા મળ્યા

Team News Updates

BOLLYWOOD:ભાઈજાન ક્યાં શિફ્ટ થઈ શકે?શું સલમાન ખાને હવે ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’નો મોહ છોડી દેવો જોઈએ? 

Team News Updates

13 મહિનાથી નથી રમી ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં કરશે કમબેક!

Team News Updates