News Updates
RAJKOT

રાજકોટમાં ભાતીગળ લોકમેળાની તૈયારી શરૂ:ધંધા માટેના સ્ટોલ્સ અને પ્લોટની ફાળવણી માટે અરજીપત્રકનું આજથી વિતરણ, 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરાશે

Spread the love

સૌરાષ્ટ્રમાં જાણીતો રાજકોટનો પરંપરાગત લોકમેળો આગામી 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. જો કે, આ ભાતીગળ લોકમેળાને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. લોકમેળામાં ધંધો-વ્યવસાય કરવા સ્ટોલ્સ કે પ્લોટ મેળવવા માટેના અરજીપત્રકનું વિતરણ આજથી શરૂ થશે. તા.14 જુલાઈ 2023 સુધીમાં કામકાજના સમય દરમિયાન આ અરજીપત્રક ભરીને જમા કરાવી શકાશે.

સવારે 11થી 4 વાગ્યા સુધી અરજીપત્રકો મેળવી શકાશે
લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેક્ટર કે. જી. ચૌધરીની યાદીમાં જણાવાયા પ્રમાણે, રાજકોટમાં ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ તથા નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-1, જુની કલેક્ટર કચેરી ખાતેથી સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી અરજીપત્રકો મેળવી શકાશે. ભરેલા અરજીપત્રકો નિયત સમય મર્યાદામાં ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન ખાતે સ્વીકારવામાં આવશે.

કુલ 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરાશે
ત્યારબાદ 24 જુલાઈએ રમકડાં, ખાણી-પીણી, મધ્યમ ચકરડી, નાની ચકરડીના પ્લોટની ફાળવણી ડ્રોથી કરવામાં આવશે. જ્યારે 25 જૂલાઈએ ખાણીપીણીના મોટા પાંચ પ્લોટ તથા કોર્નરના 32 પ્લોટની ફાળવણી હરરાજીથી કરાશે. 26 જૂલાઈએ યાંત્રિક શ્રેણીના વિવિધ પ્લોટની હરરાજીથી ફાળવણી ઉપરાંત 27મી જૂલાઈએ આઇસક્રીમના પ્લોટની તેમજ 28 જૂલાઈએ ફૂડ કોર્ટ તેમજ ટી-કોર્નરની ફાળવણી કરાશે. દરમિયાન કુલ મળીને 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવશે. આ માટેની અરજી નિયમ ફોર્મમાં જ આપવાની રહેશે. એ સિવાયની અરજી સ્વીકારવામાં આવશે નહીં.


Spread the love

Related posts

સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા:રાજકોટના વાવડી, ખોખડદળ, મવડી, મોટામવા સહિત 15 વિસ્તારમાં ચેકિંગ શરૂ, બે દિવસમાં 50 લાખની વીજચોરી ઝડપાઈ

Team News Updates

સૌરાષ્ટ્ર યુનિ.ના UPSC ભવનમાં વર્ગો શરૂ થશે,IAS-IPS બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મફત ક્લાસ,10 જૂન સુધીમાં ફોર્મ ભરો, એક્ઝામ-ઈન્ટરવ્યુના આધારે એડમિશન

Team News Updates

રાજકોટમાં ડેબ્યુ કરી રહેલા ધ્રવુએ પિતાને કર્યા હતા બ્લેકમેલ, પિતા કારગિલ યુદ્ધ લડી ચૂક્યા છે

Team News Updates