News Updates
RAJKOT

કોંગ્રેસની CPને રજૂઆત:મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાનું વાવેતર મળવા અંગે જવાબદારો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહીની માગ કરાઈ

Spread the love

રાજકોટની મારવાડી યુનિવર્સિટીનાં કેમ્પસમાંથી મળી આવેલા છોડ ગાંજાના હોવાનું એફએસએલ રિપોર્ટમાં સાબિત થયું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને રાજુઆટકારવામાં આવી હતી. જેમાં યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવાના આ કૌભાંડને ગંભીરતા પૂર્વક લઈને કડક પગલાં લેવાની માંગ કોંગ્રેસે કરી હતી. તેમજ યુનિવર્સિટીના સંચાલક, કુલપતિ, હોસ્ટેલના રેક્ટર સહીત જે જે મેનેજમેન્ટના લોકો જવાબદાર હોય તેની સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ દાખલા રૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટીમાંથી અંદાજે 100 દિવસ પહેલા ગાંજાની ખેતી ઝડપાઈ હતી. આ મામલે ગૃહમંત્રીનાં આદેશ બાદ પોલીસ કમિશ્નરે તપાસ સમિતિનું ગઠન કર્યું હતું. હાલ ગાંજાનાં વાવેતર અંગે એફએસએલનો રિપોર્ટ આવી ચુક્યો છે. જેમાં પણ આ વાવેતર ગાંજાનું હોવાનું સાબિત થયું છે. શૈક્ષણિક જગતને લાંછન લગાવતી આ ઘટના છે. વિધાના ધામમાં ગાંજાની ખેતી થવાથી મોટી શરમજનક ઘટના કોઈ ન હોય શકે.

આ બાબતે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને રજૂઆત કરવામાં આવી છે. જેમાં ફરિયાદ નોંધ્યા બાદ તપાસ પારદર્શક અને નિષ્પક્ષ રીતે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક ખરાઈ કરી કરવાની માંગ કરાઈ છે. તેમજ જવાબદાર તમામ લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. હાલ આ ઘટનામાં પરપ્રાંતીય મજૂરો ઉપર દોષ ટોપલો ઢોળીને જવાબદાર લોકો બચી જશે તેવી ચર્ચાઓએ જોર પકડતા તપાસ કમિટી દ્વારા યુનિવર્સિટીના સંચાલક, કુલપતિ, હોસ્ટેલના રેક્ટર સહીત મેનેજમેન્ટના જે માણસો આ અંગે જવાબદાર ઠરે તેઓ ઉપર પણ એન્ટી નાર્કોટિક્સ, NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આજનું યુવાધન નશાકારક પદાર્થોના રવાડે ચડી બરબાદ થઈ રહ્યું છે. તેમાં પણ વિદ્યાનાં ધામ સમાન મારવાડી યુનિવર્સિટી કે જ્યાં 54 દેશના છાત્રો અભ્યાસ કરે છે. અને હોસ્ટેલમાં રહે છે. ત્યાં ગાંજાનું વાવેતર સામે આવવું ગંભીર બાબત છે. યુનિવર્સિટીના સંચાલક, કુલપતિ, હોસ્ટેલના રેક્ટર સહીત મેનેજમેન્ટના લોકોની સંડોવણી વિના આ વાવેતર કરવું શક્ય નથી. ત્યારે આ મામલે જવાબદારો સામે ગુનો નોંધીને કડકમાં કડક પગલાં લેવાય તે જરૂરી છે. અન્ય બધી શૈક્ષણિક સંસ્થાઓ આવી અતિગંભીર ઘટનાઓ અંગે સંજ્ઞાન લઇ શકે તેવી ઉદાહરણરૂપ કડક કાર્યવાહી આ મામલે થાય તે જરૂરી બન્યું છે.


Spread the love

Related posts

531 સફાઈ કર્મીની ભરતી થશે:રાજકોટની મુલાકાતે સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગના ચેરમેન; કર્મીઓના પ્રશ્નો, સ્વાસ્થ્ય, સુવિધા, વેતન સહિતના મુદ્દે ચર્ચા કરી

Team News Updates

સૌરાષ્ટ્રમાં અર્વાચીન ગ્રુપે કરી 15મી ઓગસ્ટની અનોખી ઉજવણી,સૌપ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ રમ્યા

Team News Updates

રાજકોટમાં મહિલા દિવસે અનોખું સત્કાર્ય:સરકારી હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને સોનાની ચૂંક, રૂ.100 અને ગુલાબનું ફૂલ આપી વધામણાં કરાયા

Team News Updates